પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંસદભવન પરિસરમાં ડાઈનેમિક લાઇટીંગનું ઉદ્ઘાટન કર્યું
Posted On:
13 AUG 2019 8:45PM by PIB Ahmedabad
ભારત સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટ, 2019ને મંગળવારના રોજ સાંજે સંસદભવન સંકુલમાં ડાઈનેમિક લાઈટીંગનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ થોડો સમય માટે આ લાઈટ શોનું અવલોકન પણ કર્યું હતું. આ પ્રકારની લાઈટિંગ નોર્થ બ્લોક, સાઉથ બ્લોક અને રાષ્ટ્રપતિ ભવન જેવા મહત્વપૂર્ણ સરકારી ભવનોમાં પણ કરવામાં આવે છે. આ પ્રકાશ વ્યવસ્થા નાગરિકોમાં ખૂબ લોકપ્રિય રહી છે, અને આનાથી સામાન્ય નાગરિકો દિલ્હીના કેન્દ્રીય ભાગમાં સ્થિત આ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1581930)