આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
શહેરોમાં વ્યાપક પરિવર્તનના ચાર વર્ષ (2015-19)માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના મોખરાના મિશનો અને કાર્યક્રમો 'પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)', 'અમૃત (અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન)', 'સ્માર્ટ સિટીઝ મિશન (SCM)'ની પ્રગતિ ઉલ્લેખનીય રહી
Posted On:
25 JUN 2019 3:06PM by PIB Ahmedabad
- PMAY(U), અમૃત અને SCMમાં કુલ રોકાણ – રૂ. 8 લાખ કરોડ
-
PMAY(શહેરી) અંતર્ગત 81 લાખથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી - 48 લાખ મકાનો બાંધકામના વિવિધ તબક્કે - 26 લાખ મકાનોનું કામ પૂર્ણ થઇ ગયું છે અને મકાનો સોંપી દેવામાં આવ્યા છે
-
13 લાખ મકાનોનું નિર્માણ નવી ટેક્નોલોજીના ઉપયોગથી થઇ રહ્યું છે - મહિલા અથવા સંયુક્ત માલિકીના નામથી મકાનો આપવામાં આવી રહ્યા છે - 6.32 લાખથી વધુ લોકોએ CLSS અંતર્ગત લાભ લીધો
- અમૃત અંતર્ગત રૂ. 64,000 કરોડની 4,910 પરિયોજનાઓ અમલીકરણ હેઠળ/પૂર્ણ થઇ ગઈ - 62 લાખથી વધુ સ્ટ્રીટ લાઇટના બદલે એલઇડી લાઇટ્સ લગાવવામાં આવી રહી છે - ઓનલાઇન બિલ્ડિંગ પરમીશન સિસ્ટમ (OBPS)નો 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમામ UBLS સહિત 1,705 ULBSમાં અમલ થઇ રહ્યો છે જે નાગરિકોને સરળ જીવનની દિશામાં એક પગલું છે
- 353 શહેરોમાં પમ્પોનું ઊર્જા પરીક્ષણ પૂર્ણ થઈ ગયું - 467 અમૃત શહેરોમાં ક્રેડિટ રેટિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઇ ગયું છે - 163 શહેરોને રોકાણક્ષમ ગ્રેડ રેટિંગ પ્રાપ્ત થયું છે - 8 શહેરો દ્વારા મ્યુનિસિપલ બોન્ડ મારફતે લગભગ રૂ. 3,400 કરોડ એકત્રિત કરવામાં આવ્યા
- 16 એકીકૃત નિયંત્રણ અને કમાન્ડ સેન્ટર્સ કાર્યરત – નાગરિકોને કેટલીક ઑનલાઇન સેવાઓ પૂરી પાડવામાં યોગદાન - અન્ય 55 કેન્દ્રો અમલીકરણના વિવિધ તબક્કામાં છે
- 25 શહેરોમાં રૂ. 837 કરોડના સ્માર્ટ રોડનું કામ પૂર્ણ – 94 શહેરોમાં રૂ. 13,000 કરોડથી વધુ કિંમતના સ્માર્ટ રોડ પ્રોજેક્ટ્સનું કામ વિવિધ તબક્કે પ્રગતિમાં છે
- 15 શહેરોમાં સ્માર્ટ સૌર ઊર્જા પરિયોજનાનું કાર્ય પૂર્ણ
શહેરી પરિવર્તનના ચાર વર્ષમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના મોખરાના મિશનો અને કાર્યક્રમોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને શહેરી કાયાકલ્પ તેમજ પરિવર્તન માટે અટલ મિશન અને સ્માર્ટ સિટી મિશન દેશમાં માત્ર શહેરી પરિદૃશ્યમાં કાયાકલ્પ માટે નથી, પરંતુ લોકોનું જીવન વધુ સરળ બનાવવાનું કામ પણ તેનાથી સુનિશ્ચિત થયું છે. શહેરોની કાયાપલટ માટે વર્ષ 2004-14 દરમિયાન રૂ. 1.57 લાખ કરોડના કુલ રોકાણની તુલનાએ, વર્ષ 2014-19 સુધીમાં રૂ. 10.31 લાખ કરોડનું રોકાણ આવ્યું છે જે 554 ટકાનો વધારો સુચવે છે. PMAY(U), અમૃત અને SCMમાં રોકાણ અંદાજે રૂ. 8 લાખ કરોડ છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલા મિશન લક્ષ્યો અને સમયમર્યાદાઓથી આગળ ચાલી રહ્યા છે. શહેરો માટે પરિવર્તન અને તેનું અમલીકરણ આગામી વર્ષમાં પણ કેન્દ્ર સ્થાને રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી અંતર્ગત રૂ. 4.83 કરોડના કુલ રોકાણ સાથે 81 લાખથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી છે જેનાથી દેશમાં શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં રહેલા ગરીબ પરિવારોના માથે છત આપવાનો હેતુ સિદ્ધ કરવામાં ઘણી મદદ મળી છે. આમાંથી, અંદાજે 48 લાખ મકાનો બાંધકામના વિવિધ તબક્કે ચાલી રહ્યા છે. 26 લાખ મકાનોનું કામ પૂર્ણ થઇ ગયું છે અને તેની સોંપણી પણ કરી દેવામાં આવી છે. મિશન અંતર્ગત વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને આવાસ આપવાનું લક્ષ્ય છે જે લક્ષ્યો અને સમયમર્યાદાઓથી આગળ ચાલી રહ્યા છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને 13 લાખથી વધુ મકાનોનું બાંધકામ થઇ રહ્યું છે. રૂ. 1.26 લાખ કરોડની કેન્દ્રીય મદદ આપવાનું વચન આપવામાં આવ્યું છે જ્યારે રૂ. 51,000 કરોડથી વધુ રકમ પહેલાથી જ આપી દેવામાં આવી છે. મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં લેવાયેલા પગલાં રૂપે, PMAY(શહેરી) અંતર્ગત મકાનો મહિલા અથવા સંયુક્ત ભાગીદારીના નામે આપવામાં આવી રહ્યા છે. PMAYની ધિરાણ સાથે સંકળાયેલી સબસિડી યોજના હેઠળ, મધ્યમ આવક ધરાવતા પરિવારો કે જેમની વાર્ષિક આવક રૂ. 18 લાખ સુધીની હોય તેમને પ્રથમ ઘર ખરીદવા માટે ભંડોળ આપવામાં આવી રહ્યું છે. મકાનો માટેનો કાર્પેટ એરિયા વધારીને 200 ચો.મી. સુધી કરવામાં આવ્યો છે. 6.32 લાખથી વધુ લોકોએ વર્ષ 2005-19 સુધીમાં CLSS હેઠળ લાભ લઈ લીધો છે.
કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટે અટલ મિશનની શરૂઆત સાર્વત્રિક જળ પૂરવઠો પૂરો પાડવા, ગટર વ્યવસ્થાના નેટવર્કમાં સુધારો લાવવા, બાળકો અને દિવ્યાંગોને અનુલક્ષીને હરિયાળી જગ્યા અને પાર્ક તૈયાર કરવા, સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં સુધારો કરવા અને નોન-મોટરાઇઝ્ડ શહેરી પરિવહન તેમજ સુધારાના એજન્ડાના અમલીકરણના હેતુથી થઇ હતી જે હેઠળ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને સુધારાના અમલીકરણ માટે પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. રૂ. 77,640 કરોડની રાજ્યોની યોજનાઓને પહેલાથી જ મંજૂરી આપી દેવામાં આવી છે. આ પૈકી, રૂ. 39,011 કરોડ પાણી પૂરવઠા પરિયોજના, રૂ. 32,456 કરોડ ગટર વ્યવસ્થા અને સેપ્ટેજ માટે, રૂ. 2,969 કરોડ સ્ટૉર્મ વોટર ડ્રેનેજ માટે મંજૂર કરી દેવામાં આવ્યા છે; રૂ. 1,436 કરોડ નોન-મોટરાઇઝ્ડ શહેરી પરિવહન; રૂ. 1,768 કરોડ ખુલ્લી હરિયાળી જગ્યા અને પાર્ક માટે છે. રૂ. 65,000 કરોડની કિંમતના 4,910થી વધુ પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ/પૂર્ણ થયેલ છે. આ વિવિધ પહેલથી 22 કરોડથી વધુ શહેરી વસ્તીને આનો લાભ મળ્યો છે. ઑનલાઇન બિલ્ડિંગ પરમીશન સિસ્ટમ્સ (OBPS) નો 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમામ UBLS સહિત 1,705 ULBSમાં અમલ થઇ રહ્યો છે જે નાગરિકોને સરળ જીવન સુનિશ્ચિત કરવા માટે છે. 62 લાખથી વધુ સ્ટ્રીટ લાઇટના સ્થાને એલઇડી લાઇટ લગાવી દેવામાં આવી છે.
પાણીની અછતના બદલે પાણીની સુરક્ષાની દિશામાં આગળ વધવા માટે, રૂ. 33,900 કરોડની કિંમતના 1,132 પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. અત્યાર સુધીમાં 59 લાખ પાણીના નળના જોડાણો આપી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય 81 લાખ પાણીના નળના જોડાણો આપવામાં આવશે. આ મિશનના અંત સુધીમાં તમામ પરિવારોને પાણીનો પૂરવઠો પહોંચાડી દેવામાં આવશે. નકામા પાણીના રિસાઇકલ અને ફરી ઉપયોગના સંદર્ભમાં, રૂ. 26,589 કરોડની કિંમતના 622 ગટર વ્યવસ્થા અને સેપ્ટેજ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. 37 લાખ ગટર જોડાણો આપી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય 108 લાખ ગટર જોડાણો આપવામાં આવશે. મિશન પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગટરોનું કવરેજ 31 ટકાથી વધારીને 62 ટકા સુધી કરવામાં આવી રહ્યું છે. સ્વસ્થ જીવનશૈલી માટે હરિયાળી જગ્યાઓ વિકસાવવા માટે 593 કરોડ રૂપિયાના ખર્ચે 1,048 પાર્કનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. 1,004 કરોડ રૂપિયાના ખર્ચે 1,356 પાર્કોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પાર્કોમાં મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોને અનુકૂળ હોય તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
353 શહેરોમાં પમ્પોનું ઊર્જા સંબંધિત પરીક્ષણ પૂર્ણ થઇ ગયું છે. 11 હજાર પમ્પોને બદલવા માટે ઓળખી કાઢવામાં આવ્યા છે. 467 અમૃત શહેરોના ક્રેડિટ રેટિંગનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. તેમાંથી 163 શહેરોને રોકાણક્ષમ ગ્રેડ રેટિંગ પ્રાપ્ત થઇ ગયું છે જેમાંથી 36ને એ માઇનસ અને તેનાથી ઉપરનું રેટિંગ મળ્યું છે. 8 શહેરી સ્થાનિક એકમો - પૂણે, હૈદરાબાદ, ભોપાલ, ઇન્દોર, વિશાખાપટ્ટનમ, અમરાવતી, અમદાવાદ અને સુરતમાં 3,400 કરોડ રૂપિયાની કિંમતના મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાના કામને પ્રોત્સાહન આપવા માટે એલબી અનુસાર બહાર પાડવામાં આવેલા દરેક 100 કરોડ મુલ્યના મ્યુનિસિપલ બોન્ડ માટે 13 કરોડ રૂપિયાનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં મ્યુનિસિપલ બોન્ડ એકત્ર કરવા માટે 181 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનને સૌથી વધુ પરિવર્તનકારી શહેરી મિશનોમાંથી એક ગણવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય સ્માર્ટ ઉકેલોના પ્રયોગ દ્વારા શહેરી માળખાકીય સ્ટ્રક્ચર વધુ મજબૂત કરવું અને નાગરિકોને વધુ સારી ગુણવત્તાનું જીવન આપવાનો છે. 16 એકીકૃત નિયંત્રણ અને કમાન્ડ (ICCC) કેન્દ્રોના સંચાલને નાગરિકોને અનેક ઑનલાઇન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં યોગદાન આપ્યું છે. તેનાથી ગુનાખોરી રોકવામાં, વધુ સારી દેખરેખ રાખવામાં અને મહિલાઓ સંબંધિત ગુનાખોરીમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. અન્ય 55 ICCC અમલીકરણના વિવિધ તબક્કે છે. અત્યાર સુધીમાં 100 વિશેષ ઉદ્દેશ્ય વાહન (SPV)નું નિર્માણ કરવામાં આવ્યું છે. 100 રોકડ સ્તર સલાહકાર મંચોની રચના કરવામાં આવી છે. 100 પરિયોજના વ્યવસ્થાપન સલાહકાર (PMC) નિયુક્ત કરવામાં આવ્યા છે અને 2.05 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 5,151 પરિયોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે.
- કુલ પરિયોજનાઓના 57 ટકા અર્થાત 1,33,407 કરોડ રૂપિયાના ખર્ચની 3,589 પરિયોજનાઓના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે જેમાંથી કુલ 38 ટકા યોજનાઓ અર્થાત 88,898 કરોડ રૂપિયાના ખર્ચની 2,793 પરિયોજનાઓ અમલીકરણ/નિર્માણ માટે સંપૂર્ણપણે તૈયાર થઇ ગઈ છે.
- SCMમાં પરિયોજનાઓના ટેન્ડરની સંખ્યામાં માર્ચ 2018 પછી 240 ટકાનો વધારો થયો છે.

સ્માર્ટ સિટી મિશનની પ્રગતિ - ટેન્ડર આપવામાં આવેલી પરિયોજનાઓ
111 ભારતીય શહેરોને સામેલ કરીને જીવન નિર્વાહને વધુ સહજ બનાવવાનો સૂચકાંક 13 ઑગસ્ટ, 2018થી શરૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય, વિવિધ શહેરી પહેલોના માધ્યમથી શહેરી માહોલમાં થયેલી પ્રગતિનું આકલન કરવામાં શહેરોને સમર્થ બનાવવાનો છે. આ માળખુ 4 સ્તંભ – સંસ્થાગત, સામાજિક, આર્થિક અને વસ્તુગતમાં જીવન નિર્વાહને સહજ બનાવવાનું માપન કરે છે. આ બાબતે સૌથી સારું કામ કરનારા શહેરોમાં - પૂણે, નવી મુંબઈ, બૃહદ મુંબઇ, તિરુપતિ અને ચંદીગઢ છે.
સ્માર્ટ સિટી મિશન (SCM) અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્માર્ટ રોડના કારણે માર્ગોમાં થતા અકસ્માતોમાં ઘટાડો થયો છે અને તમામ ઉપયોગકર્તાઓ માટે સુરક્ષિત અને સુવિધાજનક પહોંચ અને રૂટ અથવા માર્ગ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. આ સાથે જ સ્માર્ટ માર્ગો પરિવહન તરફી વિકાસને વેગ આપી રહ્યા છે અને ઉપયોગકર્તાઓને રસ્તામાં રોકાવા તેમજ મનોરંજન માટે યોગ્ય સ્થળો પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 837 કરોડ રૂપિયાના ખર્ચે 25 શહેરોમાં સ્માર્ટ માર્ગોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આ પ્રકારે 59 શહેરોમાં સ્માર્ટ માર્ગો નિર્માણાધીન છે. બીજા તરફ, 36 શહેરોમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 13,000 કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચે 94 શહેરોમાં સ્માર્ટ રોડ પરિયોજનાઓ પર પહેલાથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે/ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.
SCM અંતર્ગત સ્માર્ટ સૌર ઊર્જા ગ્રીડે વીજળી પરની નિર્ભરતા ઓછી કરી દીધી છે. અત્યાર સુધીમાં 113 કરોડ રૂપિયાના ખર્ચે 15 શહેરોમાં સંબંધિત પરિયોજનાઓ પૂરી કરી દેવામાં આવી છે. તેના પરિણામરૂપે 19 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે. તેની સાથે સાથે 45 શહેરોમાં 850 કરોડ રૂપિયાથી વધુ ખર્ચની પરિયોજનાઓ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે/ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. 10 શહેરોમાં સ્માર્ટ વેસ્ટ વોટર પોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેમાં કામગીરી ચાલી રહી છે જ્યારે 50 શહેરોમાં આ પ્રકારની યોજનાઓ નિર્માણાધીન છે. 24 શહેરોમાં સ્માર્ટ વોટર પરિયાજોનાઓ થઇ ચુકી છે અને તેમાં કામગીરી ચાલી રહી છે જ્યારે 56 શહેરોમાં આ પ્રકારની પરિયોજનાઓ નિર્માણાધીન છે.
ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ફેલોશીપ પ્રોગ્રામ: 39 યુવા પ્રોફેશનલ્સની પસંદગી શહેરી નિયોજન અને ડિઝાઇન તેમજ સંબંધિત મુદ્દાઓના ક્ષેત્રમાં સ્માર્ટ સિટી ફેલો તરીકે કરવામાં આવી છે. આ પ્રોફેશનલ્સ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં સ્માર્ટ સિટીના મિશન નિદેશકના કાર્યાલય અને/અથવા પસંદગીના સ્માર્ટ સિટીના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO)ને વિશ્લેષણ, સંશોધન અને દસ્તાવેજીકરણ વગેરે સંદર્ભે આવશ્યક સહયોગ આપશે.
જીવન નિર્વાહમાં સુગમતા સૂચકાંક 2019: સૂચકાંકને બહેતર બનાવીને તે અંતર્ગત એક નવા સંસ્કરણ 'જીવન નિર્વાહમાં સુગમતા સૂચકાંક 2019'ની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત પરિણામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય સમસ્ત ત્રણેય સ્તંભોમાં લોકોના જીવન નિર્વાહમાં સુગમતાનું આકલન કરવાનો છે.
ભારત શહેરી વેધશાળા: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં એક અત્યાધુનિક ભારત શહેરી વેધશાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વેધશાળા શહેરોમાંથી વાસ્તવિક સમય તેમજ આર્કાઇવ સ્રોતોમાંથી માહિતી એકઠી કરશે. જેનાથી એનાલિટીક્સ દ્વારા શહેરો, શિક્ષણવિદો, ઉદ્યોગજગત અને સરકારો માટે ઇનસાઈટ ઉપલબ્ધ કરી શકાશે. નીતિનિર્માણમાં આના કારણે ખૂબ જ સારું યોગદાન મળશે.
સ્માર્ટ સિટી ડિજિટલ ચુકવણી પુરસ્કાર - 2018: ભારતના શહેરી રહેવાસીઓના જીવન નિર્વાહમાં સુગમતાને પ્રોત્સાહન આપવા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પહેલ અંતર્ગત સ્માર્ટ સિટી ડિજિટલ ચૂકવણી પુરસ્કાર (SCDPA) 2018 '100 સ્માર્ટ સિટીમાં 100 દિવસની ચેલેન્જ'નો 9 જુલાઇ 2018ના રોજ આરંભ કરવામાં આવ્યો હતો.
નવીનતા, એકીકૃતતા અને નિરંતરતા માટે શહેરોમાં રોકાણ (CITIIS) ચેલેન્જ: નવીનતા, એકીકૃતતા, નિરંતરતાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત જુલાઇ 2018માં AFD, EU અને NIUA ની ભાગીદારીમાં એક 'સિટીઝ ચેલેન્જ'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 36 સ્માર્ટ સિટીમાંથી પ્રાપ્ત થયેલા 67 પ્રસ્તાવોમાંથી 13 પરિયોજોનાઓની પસંદગી 100 મિલિયન યૂરોના રોકાણ માટે કરવામાં આવી હતી. 26 ફેબ્રુઆરી 2019ના રોજ સ્માર્ટ સિટીના સીઇઓએ બીજા શિખર સંમેલન દરમિયાન 'CITIIS પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યા હતા.
DK/NP/J. Khunt/GP/RP
(Release ID: 1575655)