મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય પોષણ માહ 2026નો પ્રારંભ કર્યો: દેશવ્યાપી અભિયાન આહારની વિવિધતા, પર્યાપ્ત પ્રોટીન આહાર અને તાજા ગરમ રાંધેલા ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરે છે


આંગણવાડી કેન્દ્રોને જીવંત સામુદાયિક સંસ્થાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

14 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો 7.5 કરોડથી વધુ બાળકો અને 1.10 કરોડ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળપણની સંભાળ સેવાઓ પહોંચાડી રહ્યા છે: શ્રીમતી અન્નપૂર્ણા દેવી

સુપોષિત ભારત અને વિકસિત ભારત@2047 ની દિશામાં નાગરિકોને પોષણને સાચું જન આંદોલન બનાવવા માટે આહ્વાન કરાયું: શ્રીમતી અન્નપૂર્ણા દેવી

પોસ્ટેડ ઓન: 09 SEP 2026 4:44PM by PIB Ahmedabad

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આજે રુદ્રાક્ષ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર (RICCC), વારાણસી ખાતે "હમારી આંગણવાડી, હમારી જિમ્મેદારી" ની થીમ હેઠળ પોષણ માટે એક મહિનો ચાલનારા દેશવ્યાપી જન આંદોલનનું ઉદ્ઘાટન કરીને 9મા રાષ્ટ્રીય પોષણ માહ 2026 નો પ્રારંભ કર્યો.

a4429833d74d71dbdaa962d6062964b1.jpg

આ લોન્ચ ઇવેન્ટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ; કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી; મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર; અને મહિલા કલ્યાણ, બાળ વિકાસ અને પોષણ મંત્રી, ઉત્તર પ્રદેશ સરકાર, શ્રીમતી બેબી રાની મૌર્ય, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ, વિકાસ ભાગીદારો, ફ્રન્ટલાઇન વર્કર્સ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ સંબોધન આપતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે પોષણ અભિયાનના ઉદ્દેશ્યોને આગળ વધારવામાં અને ગ્રાસરૂટ પોષણ સેવાઓને મજબૂત કરવામાં આંગણવાડી કેન્દ્રોની પરિવર્તનકારી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિભાગો વચ્ચે સતત કન્વર્જન્સ, સક્રિય સમુદાય ભાગીદારી અને ફ્રન્ટલાઇન વર્કર્સનું સમર્પણ કુપોષણ મુક્ત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વર્ષો દરમિયાન થયેલા નોંધપાત્ર સુધારાઓને યાદ કરતા, મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોને બહેતર માળખાકીય સુવિધાઓ અને શીખવાના વાતાવરણ સાથે જીવંત સામુદાયિક સંસ્થાઓમાં અપગ્રેડ અને નવીનીકરણ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંગણવાડી વર્કર્સને સ્માર્ટફોનથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી ડિજિટલ મોનિટરિંગ દ્વારા રિયલ-ટાઇમ ડેટા એન્ટ્રી અને સેવાની ગુણવત્તામાં સુધારો શક્ય બન્યો છે. પૂરક પોષણ સેવાઓને મજબૂત કરવા પર ભાર મૂકતા, શ્રી યોગી આદિત્યનાથે અવલોકન કર્યું કે આંગણવાડી કેન્દ્રો હવે પાત્ર લાભાર્થીઓને નિયમિતપણે હોટ કૂક્ડ મીલ્સ (HCM) અને ટેક હોમ રાશન (THR) પૂરા પાડી રહ્યા છે, જે સમગ્ર રાજ્યમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે વધુ સારા પોષણ પરિણામોમાં યોગદાન આપે છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પોષણમાં કરેલું રોકાણ ક્યારેય વ્યર્થ જતું નથી, કારણ કે તે તંદુરસ્ત બાળકો, સશક્ત પરિવારો અને વધુ મજબૂત રાષ્ટ્રના રૂપમાં આજીવન લાભ આપે છે.

46232cd75cd53f8d2b7a0d703bbdcc35.jpg

તેમના મુખ્ય સંબોધનમાં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 દ્વારા પોષણ પરિણામોમાં સુધારો કરવાની સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હાલમાં 14 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો 7.5 કરોડથી વધુ બાળકો, 1.10 કરોડ સગર્ભા અને ધાત્રી માતાઓ અને લગભગ 16 લાખ કિશોરીઓને પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળપણની સંભાળ સેવાઓ પહોંચાડી રહ્યા છે. જીવનના પ્રથમ 1,000 દિવસોના મહત્વ પર ભાર મૂકતા, તેમણે નોંધ્યું કે સરકાર 2 લાખ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડીઓમાં અપગ્રેડ કરી રહી છે, જેમાંથી ઉત્તર પ્રદેશમાં આશરે 24,000 કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીશ્રીએ એ પણ હાઇલાઇટ કર્યું કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) એ અમલીકરણના દસ વર્ષ પૂર્ણ કર્યા છે અને અત્યાર સુધીમાં દેશભરમાં 4.65 કરોડથી વધુ માતાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ₹21,000 કરોડથી વધુ ટ્રાન્સફર કર્યા છે. તેમણે આહારની વિવિધતા, પર્યાપ્ત પ્રોટીન આહાર, તાજા ગરમ રાંધેલા ભોજન, સ્વચ્છતા અને પ્રારંભિક બાળપણના વિકાસને સુધારવામાં સામુદાયિક ભાગીદારીની ભૂમિકા પર વધુ ભાર મૂક્યો હતો અને નાગરિકોને સુપોષિત ભારત અને વિકસિત ભારત@2047 ના વિઝનને સાકાર કરવા માટે પોષણને સાચું જન આંદોલન બનાવવા માટે આહ્વાન કર્યું હતું.

59590f12e9e70659fdcef55d40d1d505.jpg

આ પ્રસંગે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ પસંદગીના આંગણવાડી વર્કર્સ સાથે સીધો સંવાદ કર્યો હતો જેમના કેન્દ્રોને ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એક વિશેષ વિભાગમાં ગરમ રાંધેલા ભોજન, ટેક હોમ રાશન, ગૃહ મુલાકાતો અને પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ પર લાભાર્થીઓના અનુભવ આધારિત વિડીયો દર્શાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બોલતા, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે સમુદાયો, પંચાયતી રાજ સંસ્થાઓ, સ્વસહાય જૂથો અને પરિવારોને પોષણ ચળવળમાં સક્રિયપણે ભાગ લેવા અને પોષણ તથા બાળ સંભાળ સેવાઓના ગ્રાસરૂટ વિતરણને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.

તેમના સ્વાગત પ્રવચનમાં, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી અનિલ મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોષણ અભિયાન સરકારી કાર્યક્રમમાંથી દેશવ્યાપી જન આંદોલનમાં રૂપાંતરિત થયું છે, અને આગામી તબક્કામાં સામુદાયિક માલિકી અને જવાબદેહીને વધુ ઊંડી બનાવવી જોઈએ. તેમણે પ્રત્યેક આંગણવાડી કેન્દ્ર પર સંસ્થાકીય અને તકનીકી મજબૂતીકરણને સેવાની સુધારેલી ગુણવત્તામાં પરિવર્તિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અધિકૃત લોન્ચિંગ પહેલાં, મહાનુભાવોએ સ્થળ પર પોષણ મેળાની મુલાકાત લીધી હતી, જેમાં પોષણ-કેન્દ્રિત ઇનોવેશન્સ, સ્થાનિક પૌષ્ટિક ખોરાક અને આંગણવાડી કેન્દ્રોની શ્રેષ્ઠ પદ્ધતિઓ દર્શાવવામાં આવી હતી.

પોષણ માહ 2026 પર એક વિશેષ ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ દેશવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) ના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરતી એક ફિલ્મનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું, જેણે દેશભરમાં માતૃ આરોગ્ય અને પોષણના પરિણામો સુધારવામાં આ યોજનાના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.

2018 માં પોષણ અભિયાનની શરુઆત થઈ ત્યારથી, પોષણ માહ, પોષણ પખવાડિયા અને અન્ય સામુદાયિક ભાગીદારી પહેલો દ્વારા 150 કરોડથી વધુ જન આંદોલન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રીય પોષણ માહ 2026 સમગ્ર દેશમાં 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવશે જેમાં નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:

  • આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન આહાર
  • આંગણવાડી કેન્દ્રો પર તાજું ગરમ રાંધેલું ભોજન
  •  આંગણવાડી વ્યવસ્થાપન સમિતિઓ અને SNP મેનૂ બોર્ડ દ્વારા સામુદાયિક માલિકી
  • બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજના (અર્લી સ્ટીમ્યુલેશન)
  • પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) ના 10 વર્ષ

મહિનાભર ચાલનારા આ અભિયાનનો ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રો સાથે સામુદાયિક જોડાણને વધુ ગાઢ બનાવવાનો અને સુધારેલા પોષણ, માતૃ આરોગ્ય અને પ્રારંભિક બાળપણના વિકાસ તરફ સામૂહિક પગલાંને પ્રોત્સાહિત કરવાનો છે, જે સુપોષિત ભારતના વિઝનને પુષ્ટિ આપે છે.

https://webcast.gov.in/mwcd

https://webcast.gov.in/mwcd

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2308503) મુલાકાતી સંખ્યા : 15