સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ મંત્રીએ કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી


ભારત અને શ્રીલંકા પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી વખતે સહિયારી પ્રગતિ અને જન કલ્યાણ માટે પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે

સૌથી નજીકના મિત્ર અને પાડોશી તરીકે, ભારત પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે સહાય પૂરી પાડવાની જવાબદારી માને છે, અને તેમ કરવાનું ચાલુ રાખશે: શ્રી રાજનાથ સિંહ

શ્રીલંકા તેની જમીનનો ઉપયોગ ભારતના સુસંરક્ષણ હિતોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ માટે ક્યારેય થવા દેશે નહીં: શ્રી અનુરા કુમારા દિસાનાયકે

શ્રીલંકા એર ફોર્સ માટે L70 ગન્સના અપગ્રેડેશન અને બંને દેશોના નેશનલ કેડેટ કોર્પ્સ અને નેશનલ ડિફેન્સ કોલેજો વચ્ચેના સહયોગ અંગે બંને પક્ષોએ MoU પર હસ્તાક્ષર કર્યા

ભારતીય સંરક્ષણ દળો દ્વારા નિર્મિત ત્રણ બેઇલી બ્રિજનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું

પોસ્ટેડ ઓન: 09 SEP 2026 2:39PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 09 સપ્ટેમ્બર 2026ના રોજ કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના બહુવિધ ભાગીદારીના સમગ્ર ક્ષેત્રને આવરી લેતા મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા કરી હતી, જે પરંપરાગત રીતે ઉષ્માભર્યા સંબંધો અને પરસ્પર વિશ્વાસ દ્વારા ચિહ્નિત થયેલ છે.

બંને પક્ષોએ પુર્નોચ્ચાર કર્યો હતો કે, સભ્યતાના જોડિયા, નજીકના પાડોશીઓ અને દરિયાઈ ભાગીદારો તરીકે, ભારત અને શ્રીલંકા વિસ્તારની સલામતી, સુસંરક્ષણ, શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રીતે કામ કરવાની સાથે તેમના વિકાસ અને લોકોના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. સંરક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી અને રેખાંકિત કર્યું હતું કે બંને દેશોના નાગરિકો મજબૂત ઐતિહાસિક અને નાગરિક જોડાણો તથા લોકો-સાથે-લોકોના વિનિમયના આધારે ગાઢ મિત્રતા ધરાવે છે.

સંરક્ષણ મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ દિસાનાયકેએ પીએમ મોદી સાથેની તેમની મુલાકાતોને યાદ કરી હતી અને દોહરાવ્યું હતું કે શ્રીલંકા તેની જમીનનો ઉપયોગ ભારતના સુસંરક્ષણ હિતોને નુકસાન પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિઓ માટે ક્યારેય નહીં થવા દે.

રાષ્ટ્રપતિ દિસાનાયકેએ ચક્રવાત દિત્વાહ દરમિયાન 'ઓપરેશન સાગર બંધુ' ના ભાગરૂપે ભારત દ્વારા પૂરી પાડવામાં આવેલી રાહત સહાય અને દ્વીપના વિવિધ ભાગોમાં પુનઃનિર્માણ અને પુનર્વસન કાર્યને સરળ બનાવવા માટે નવી દિલ્હી દ્વારા લંબાવવામાં આવેલા વ્યાપક પુનર્વસન પેકેજ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રીલંકાના સૌથી નજીકના મિત્ર અને પાડોશી તરીકે, ભારતે આને કોઈ અહેસાન નહીં, પરંતુ પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે સહાય પૂરી પાડવાની જવાબદારી માની છે અને ભવિષ્યમાં પણ તેમ કરવાનું ચાલુ રાખશે.

બંને નેતાઓએ ભારતીય સંરક્ષણ દળો દ્વારા નિર્મિત ત્રણ બેઇલી બ્રિજનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. બંને પક્ષોએ શ્રીલંકન એર ફોર્સ માટે L70 ગન્સના અપગ્રેડેશન અને બંને દેશોના નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) અને નેશનલ ડિફેન્સ કોલેજો (NDC) વચ્ચેના સહયોગ અંગે પણ MoU ની આપ-લે કરી હતી. શ્રીલંકન એર ફોર્સ માટે છ L70 ગન્સના અપગ્રેડેશન અંગેનો MoU ભારત સરકારની ગ્રાન્ટ હેઠળ આવે છે. આ એર ડિફેન્સ ગન્સનું અપગ્રેડેશન શ્રીલંકાના મહત્વપૂર્ણ સંપત્તિઓની એર ડિફેન્સ આર્કિટેક્ચરને નોંધપાત્ર રીતે મજબૂત કરશે. આ એર ડિફેન્સ ગન્સ અગાઉ ભારત દ્વારા શ્રીલંકા એર ફોર્સને પૂરી પાડવામાં આવી હતી.

NDC, ભારત અને NDC, શ્રીલંકા વચ્ચે એકેડેમિક સહયોગ અંગેનો MoU જ્ઞાનની આપ-લેમાં સુવિધા પૂરી પાડશે જે બંને ભગિની સંસ્થાઓ વચ્ચેના શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. NCC સહયોગ અંગેનો MoU ભારત અને શ્રીલંકા વચ્ચેના NCC યુવા વિનિમય કાર્યક્રમને ઔપચારિક બનાવશે. આ વિનિમય કાર્યક્રમ વિશ્વભરના વિવિધ દેશોના NCC કેડેટ્સને દર વર્ષે નવી દિલ્હી આવવાની અને NCC કાર્યક્રમોમાં ભાગ લેવાની મૂલ્યવાન તક પૂરી પાડે છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2308246) મુલાકાતી સંખ્યા : 12