પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ Vના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
28 AUG 2026 4:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના કિંગડમના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V ના નિધન પર શોક વ્યક્ત કર્યો. આ વર્ષની શરૂઆતમાં તેમની નોર્વે યાત્રા દરમિયાન હિઝ મેજેસ્ટી સાથેની તેમની મુલાકાતને યાદ કરતા, શ્રી મોદીએ નોર્વેના લોકો અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના ઉષ્માભર્યા વ્યવહાર અને સેવાની ઊંડી ભાવનાને યાદ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“નોર્વેના કિંગડમના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V ના નિધનથી ખૂબ જ દુઃખી છું.
હું આ વર્ષની શરૂઆતમાં મારી નોર્વે યાત્રા દરમિયાન હિઝ મેજેસ્ટી સાથેની મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરું છું અને તેમના રાષ્ટ્ર પ્રત્યેના તેમના ઉષ્માભર્યા વ્યવહાર અને સેવાની ઊંડી ભાવનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.
રાજપરિવાર અને નોર્વેના લોકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2304309)
મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam