સંરક્ષણ મંત્રાલય
ભારત-જાપાન સંયુક્ત પ્રેસ નિવેદન
प्रविष्टि तिथि:
20 AUG 2026 1:06PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શ્રી શિંજીરો કોઇઝુમી વચ્ચે 20 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હી ખાતે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. સંયુક્ત પ્રેસ નિવેદન નીચે મુજબ છે:
20 ઓગસ્ટ 2026ના રોજ, જાપાનના સંરક્ષણ મંત્રી શ્રી શિંજીરો કોઇઝુમી અને ભારત પ્રજાસત્તાકના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં જાપાન-ભારત સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજી હતી.
બંને મંત્રીઓએ “જાપાન-ભારત સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ” હેઠળ સંરક્ષણ સહયોગના સતત મજબૂતીકરણનું સ્વાગત કર્યું હતું, જેમાં બંને દેશોના સંબંધિત મંત્રાલયો અને સેનાઓ વચ્ચેના સહયોગનો સમાવેશ થાય છે જે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે, જે ઇન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેના સ્તંભોમાંથી એક છે.
જુલાઈ 2026માં બંને દેશોના નેતાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા જાપાન-ભારત સંયુક્ત નિવેદનને યાદ કરીને, બંને મંત્રીઓએ એક મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિકને સાકાર કરવા માટે તેમના નેતૃત્વ હેઠળ સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતા મજબૂત કરી હતી.
વૈશ્વિક તણાવ વધવાના સમયે બંને દેશો વચ્ચે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણના મૂલ્યાંકન શેર કરવાના મહત્વ પર બંને મંત્રીઓએ સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા અને સુરક્ષામાં અવરોધ ઊભો કરતી કોઈપણ એકતરફી કાર્યવાહી તેમજ બળ કે દબાણ દ્વારા યથાસ્થિતિ બદલવાના કોઈપણ પ્રયાસો સામે તેમનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.
બંને મંત્રીઓએ દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં વ્યાવહારિક અને અસરકારક રીતે ઓપરેશનલ સહયોગ ગાઢ બનાવવા પર સંમતિ દર્શાવી હતી. તદનુસાર તેમણે દરિયાઈ સુરક્ષા સહયોગને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી અને જાપાનના સંરક્ષણ મંત્રાલય અને ભારતના સંરક્ષણ મંત્રાલય વચ્ચે દરિયાઈ સુરક્ષા સહયોગ અંગેના મેમોરેન્ડમ ઓફ એરેન્જમેન્ટ (MoA) પર હસ્તાક્ષર કર્યા.
આ મેમોરેન્ડમ દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે બંને દેશો વચ્ચે સહયોગને વધુ આગળ ધપાવવા માટેનું એક માળખું પૂરું પાડે છે. ખાસ કરીને, તેમાં જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ અને ભારતીય નૌકાદળ વચ્ચે સહયોગ મજબૂત કરવાનો સમાવેશ થાય છે, જેમાં મેરીટાઇમ ડોમેન અવેરનેસ (MDA) ક્ષેત્રે માહિતીની આપ-લે, તેમજ સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) અને હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ (HADR) જેવા ક્ષેત્રોમાં વિસ્તૃત સહયોગનો સમાવેશ થાય છે.
બંને મંત્રીઓએ પુષ્ટિ કરી હતી કે તેઓ નૌકાદળના જહાજો અને ટુકડીઓની પરસ્પર મુલાકાતો, સંયુક્ત કવાયતો, કાર્મિક અને સબ્જેક્ટ મેટર એક્સપર્ટ (SME)ની આપ-લે અને બંદરો, જાળવણી અને સમારકામ સુવિધાઓના ઉપયોગ સહિત લોજિસ્ટિકલ સપોર્ટ દ્વારા સી લાઇન્સ ઓફ કમ્યુનિકેશનના રક્ષણ માટે બંને પક્ષો વચ્ચે સંકલન મજબૂત કરશે. આ પ્રકારનો સહયોગ માત્ર જાપાન અને ભારત માટે જ નહીં, પરંતુ આ પ્રદેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
બંને મંત્રીઓએ વ્યૂહાત્મક અને ઓપરેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરે તેવા કોંક્રિટ મેરીટાઇમ સિક્યુરિટી સહયોગને સાકાર કરવા માટે ઝડપથી આગળ વધવા સંમતિ આપી હતી. તેમણે વધુમાં એવો વિચાર શેર કર્યો હતો કે બંને પક્ષોએ માઇન કાઉન્ટરમેઝર્સ ક્ષમતાઓને વધારવા માટે સિનર્જીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ અને જાપાનની ટેકનોલોજીકલ નિષ્ણાતતા અને ભારતની ઉત્પાદન ક્ષમતાઓનો તેમની સંબંધિત નીતિઓ અનુસાર ઉપયોગ કરીને નૌકાદળના જહાજ નિર્માણ અને ડિઝાઇનિંગમાં સંયુક્ત વિકાસની શક્યતાઓ તપાસવી જોઈએ. તેમણે વધુમાં એવો વિચાર પણ રજૂ કર્યો હતો કે બંને પક્ષોએ સંરક્ષણ જહાજ નિર્માણ અને સંબંધિત ક્ષેત્રોમાં એકબીજાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ, અને “મેક ઇન ઇન્ડિયા” ના માળખા હેઠળ ભારતની ઉત્પાદન ક્ષમતાઓના જાપાન દ્વારા ઉપયોગ અંગે ચર્ચાઓ ઊંડી બનાવવી જોઈએ. બંને મંત્રીઓ નજીકના ભવિષ્યમાં જહાજ સમારકામ વ્યવસ્થાના નિષ્કર્ષ સહિત જહાજ સમારકામ સુવિધાઓના પરસ્પર જોગવાઈને આગળ વધારવા પર પણ સંમતિ વ્યક્ત કરી હતી.
બંને મંત્રીઓએ જાપાન અને ભારત દ્વારા આયોજિત દ્વિપક્ષીય કવાયતોના સતત વિસ્તરણ અને ઊંડાણનું સ્વાગત કર્યું, જેમાં જાપાન-ભારત આર્મી કવાયત ‘ધર્મ ગાર્ડિયન’ અને જાપાન-ભારત મેરીટાઇમ કવાયત “JAIMEX”નો સમાવેશ થાય છે. તેમણે ખાસ કરીને આ વર્ષે આયોજિત થનારી જાપાન-ભારત એરફોર્સ કવાયત “વીર ગાર્ડિયન 26”ના સંકલનમાં સતત પ્રગતિનું સ્વાગત કર્યું, જેના હેઠળ જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ફાઇટર એરક્રાફ્ટ પ્રથમ વખત ભારતની મુલાકાત લેશે અને કવાયતમાં ભાગ લેશે. બંને મંત્રીઓએ વધેલી જટિલતાઓ, માનવરહિત પ્રણાલીઓના એકીકરણ અને જ્યારે પણ તકો ઊભી થાય ત્યારે ટૂંકી નોટિસ પર સંયુક્ત કવાયતો દ્વારા દ્વિપક્ષીય કવાયતોમાં સહયોગને વધુ ઊંડો બનાવવા પર સંમતિ દર્શાવી હતી.
બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગને વધુ આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે, બંને મંત્રીઓએ તેમના સંબંધિત સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સિસ વચ્ચે વિનિમયને પ્રોત્સાહન આપવા અને ભારતની ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ્સની સ્થાપના પછી તેમની સાથે સહયોગ આગળ ધપાવવા સંમતિ દર્શાવી હતી.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીના ટ્રાન્સફર માટેના તેના માળખાના જાપાનના તાજેતરના સમીક્ષાનું સ્વાગત કર્યું હતું, અને અપેક્ષા વ્યક્ત કરી હતી કે જાપાન ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ્થિરતામાં વધુ યોગદાન આપશે. તેમણે ખાસ કરીને બંને દેશો વચ્ચે સંરક્ષણ અને ટેકનોલોજી ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.
બંને મંત્રીઓએ એવો વિચાર રજૂ કર્યો હતો કે શિપબોર્ન UNICORN ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન્સ એન્ટેના સિસ્ટમ સંબંધિત પ્રોજેક્ટ, બંને દેશો વચ્ચે પ્રથમ સંરક્ષણ સાધન ટ્રાન્સફર પ્રોજેક્ટ તરીકે, સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીના ટ્રાન્સફરમાં જાપાન અને ભારત વચ્ચે ગાઢ બનતા સહયોગના પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. બંને મંત્રીઓના નેતૃત્વ હેઠળ, તેમણે પ્રોજેક્ટના પ્રારંભિક સાકાર તરફ સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.
સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અન્ય પ્રોજેક્ટ્સને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે, તેમણે બંને દેશોની સંબંધિત સેનાઓ વચ્ચે ઓપરેશનલ જરૂરિયાતો અંગેની ચર્ચાઓને આગળ ધપાવવા માટે પણ સંમતિ વ્યક્ત કરી હતી. બંને મંત્રીઓએ અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં DRDO અને ATLA વચ્ચે સંરક્ષણ R&D સહયોગને ઊંડો બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ પણ કરી હતી. બંને મંત્રીઓએ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ફોરમ યોજવાનો તેમનો ઇરાદો પણ કન્ફર્મ કર્યો હતો.
બંને મંત્રીઓએ જાપાન, ભારત અને ઇન્ડોનેશિયાનો સમાવેશ કરતી પ્રથમ ત્રિપક્ષીય નૌકાદળ PASSEX કવાયતનું સ્વાગત કર્યું હતું, જે આ વર્ષના ફેબ્રુઆરીમાં યોજાઈ હતી. ઇન્ડો-પેસિફિકનો વ્યાપક દ્રષ્ટિકોણ ધરાવવા અને આ પ્રદેશ અને વિશ્વમાં શાંતિ અને સ્થિરતામાં સંયુક્ત રીતે યોગદાન આપવાના ઉદ્દેશ્યથી, તેઓ ઉચ્ચ સ્તરીય વિનિમય, કવાયત અને અન્ય સંબંધિત પહેલો દ્વારા ત્રીજા દેશો સાથે સહયોગને વધુ ઊંડો બનાવવા સંમતિ દર્શાવી હતી.
બંને મંત્રીઓએ કુદરતી આપત્તિના કિસ્સામાં કાર્મિકો અને પુરવઠાઓના વહન દ્વારા ભાગીદાર દેશોને ટેકો આપવા માટે ઇન્ડો-પેસિફિક લોજિસ્ટિક્સ નેટવર્ક (IPLN) દ્વારા સહયોગને વધુ પ્રોત્સાહન આપવા પર સંમતિ દર્શાવી હતી. તેમણે સ્વાગત કર્યું કે IPLNની બીજી ટેબલટોપ કવાયત આ વર્ષના સપ્ટેમ્બરમાં જાપાનના સંરક્ષણ મંત્રાલય ખાતે યોજાનાર છે.
જુલાઈ 2026માં બંને દેશોના નેતાઓ દ્વારા જારી કરાયેલા જાપાન-ભારત સંયુક્ત નિવેદનમાં નિર્ધારિત માર્ગદર્શનને યાદ કરીને, બંને મંત્રીઓએ આ વર્ષે ટોક્યો ખાતે ચોથી જાપાન-ભારત ફોરેન એન્ડ ડિફેન્સ મિનિસ્ટ્રીયલ મીટિંગ (“2+2”) યોજવા તરફ ચર્ચાઓને ઝડપી બનાવવા માટે સંમતિ દર્શાવી હતી.
બંને મંત્રીઓએ વધુમાં સંમતિ વ્યક્ત કરી હતી કે જાપાન અને ભારત બંને દેશોની સુરક્ષા અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે જ્યારે જરૂર પડે ત્યારે વિચાર-વિમર્શ કરશે.
દરેક દેશની સંબંધિત નીતિઓ અને સાર્વભૌમ પસંદગીઓનો સંપૂર્ણ આદર કરતી વખતે ઓપરેશનલ, ઇન્ટેલિજન્સ, સાધન-સામગ્રી, ટેકનોલોજી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં એકીકૃત રીતે સહયોગ વધારવા માટે ડાયરેક્ટર-જનરલ/સંયુક્ત સચિવ સ્તરના વડા હેઠળ વર્કિંગ ગ્રુપની સ્થાપના કરવા પર બંને મંત્રીઓએ સંમતિ દર્શાવી હતી. આ વર્કિંગ ગ્રુપ બંને મંત્રીઓ દ્વારા સંમતિ ધરાવતી સહયોગની દિશાઓ માટે એકંદર સંકલન પૂરું પાડશે, સહયોગના વિવિધ ક્ષેત્રો વચ્ચે સમન્વયનો મહત્તમ લાભ સુનિશ્ચિત કરશે અને તેમના અમલીકરણને ઝડપી બનાવશે.
બેઠક પહેલાં, સંરક્ષણ મંત્રી કોઇઝુમી (KOIZUMI) એ નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પાજંલિ અર્પણ કરીને ભારતના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમને ઔપચારિક ટ્રાઇ-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર દ્વારા આવકારવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રી કોઇઝુમીએ મુંબઈ ખાતે વેસ્ટર્ન નેવલ કમાન્ડ (WNC) અને ઈન્ડિયન નેવલ શિપ ચેન્નાઈની પણ મુલાકાત લીધી હતી.”
SM/BS.GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad