રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે દેશભરમાં 19 રેલ નીર પ્લાન્ટ ધરાવે છે, જે મુસાફરોને સુરક્ષિત પેકેજ્ડ પીવાનું પાણી પૂરું પાડે છે


દરેક રેલ નીર પ્લાન્ટની ક્ષમતા પ્રતિદિન 1 લાખ બોટલની છે

प्रविष्टि तिथि: 05 AUG 2026 3:28PM by PIB Ahmedabad

હાલમાં, દેશભરના વર્તમાન કાર્યરત રેલ નીર પ્લાન્ટમાંથી તમામ સબળ ટ્રેનો અને સ્ટેશનો પર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) ‘રેલ નીર’ની માંગ પૂરી કરવામાં આવી રહી છે. ભારતીય રેલવેમાં રેલ નીરની જરૂરિયાત અને માંગના આધારે નક્કી કરેલા સ્થળોએ રેલ નીર પ્લાન્ટ સ્થાપવાની જવાબદારી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ને સોંપવામાં આવી છે.

પ્રતિદિન 1,00,000 બોટલની ક્ષમતા ધરાવતા રેલ નીર પ્લાન્ટ (PPP મોડલ) સ્થાપવાનો અનુમાનિત ખર્ચ લગભગ ₹10 કરોડ છે. આ ખર્ચમાં પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ (PEB) શેડનું નિર્માણ, પ્લાન્ટ અને મશીનરીનું સ્થાપન શામેલ છે અને તેમાં જમીનની કિંમત શામેલ નથી.

દેશભરમાં કાર્યરત 19 રેલ નીર પ્લાન્ટની વિગતો નીચે મુજબ છે:

ક્રમ

પ્લાન્ટ

રાજ્ય

1

નાંગલોઈ

દિલ્હી

2

દાનપુર

બિહાર

3

અંબરનાથ

મહારાષ્ટ્ર

4

પાલુર

તમિલનાડુ

5

મનૌરી

મધ્ય પ્રદેશ

6

અમેઠી

ઉત્તર પ્રદેશ

7

નાગપુર

મહારાષ્ટ્ર

8

ઊના

હિમાચલ પ્રદેશ

9

હાપુડ

ઉત્તર પ્રદેશ

10

જાગીરોડ

આસામ

11

સંકરાઈલ

પશ્ચિમ બંગાળ

12

કોટા

રાજસ્થાન

13

મંડીદીપ

મધ્ય પ્રદેશ

14

સાણંદ

ગુજરાત

15

ભુસાવળ

મહારાષ્ટ્ર

16

ભુવનેશ્વર

ઓડિશા

17

બિલાસપુર

છત્તીસગઢ

18

સિમ્હાદ્રી

આંધ્ર પ્રદેશ

19

વિજયવાડા

આંધ્ર પ્રદેશ

આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2294885) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Tamil , Kannada