રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

99.6% બ્રોડ ગેજ નેટવર્કના વીજળીકરણ સાથે ભારત રેલવે વીજળીકરણમાં વૈશ્વિક અગ્રણી તરીકે ઉભરી આવ્યું, સ્વિટ્ઝર્લેન્ડ પછી બીજા ક્રમે


રેલવે ટ્રેક્શન માટે ડીઝલનો વપરાશ 2015-16 માં 293 કરોડ લિટરથી ઘટીને 2024-25 માં 108 કરોડ લિટર થયો, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થઈ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો

ભારતીય રેલવેની વીજળીકરણ ઝુંબેશ સ્વચ્છ ગતિશીલતા (ક્લીનર મોબિલિટી) ને પ્રોત્સાહન આપે છે, કારણ કે રોડ ટ્રાન્સપોર્ટની સરખામણીમાં રેલ ટ્રાન્સપોર્ટ લગભગ 89% ઓછું CO₂ ઉત્સર્જિત કરે છે

ભારતીય રેલવે પર લો-કાર્બન કામગીરીને ટેકો આપવા માટે 1,260 મેગાવોટથી વધુ સૌર અને પવન ઊર્જા ક્ષમતા કમિશન કરાઈ

प्रविष्टि तिथि: 22 JUL 2026 1:01PM by PIB Ahmedabad

ભારતીય રેલવે પર રેલવે નેટવર્કના વીજળીકરણનું કામ મિશન મોડમાં હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં, આશરે 99.6% બ્રોડ ગેજ (BG) નેટવર્કનું વીજળીકરણ થઈ ગયું છે. બાકીના નેટવર્કમાં વીજળીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. 2014-26 દરમિયાન અને 2014 પહેલાં હાથ ધરવામાં આવેલ વીજળીકરણ નીચે મુજબ છે:

સમયગાળો

રૂટ કિલોમીટર

2014 પહેલાં (આશરે 60 વર્ષ)

21,801

2014-26

48,072

વધુમાં, તમામ નવી લાઇન/મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ વીજળીકરણ સાથે મંજૂર કરવામાં આવી રહ્યા છે અને બનાવવામાં આવી રહ્યા છે.

ભારતીય રેલવે (IR) વિશ્વના સૌથી ઝડપી રેલવે વીજળીકરણ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ હાથ ધર્યો છે. જ્યારે ઘણા દેશો માત્ર તેમના સૌથી વ્યસ્ત માલવાહક કોરિડોરના વીજળીકરણને પ્રાથમિકતા આપે છે, ત્યારે ભારતે તેના સમગ્ર બ્રોડ ગેજ નેટવર્કનું વીજળીકરણ કરવાનું પસંદ કર્યું છે. રેલવે વીજળીકરણમાં ભારતીય રેલવેની સિદ્ધિ વૈશ્વિક સ્તરે અલગ તરી આવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ રેલવેઝ (UIC) ના જૂન, 2025 ના તાજેતરના અહેવાલ મુજબ, મહત્વપૂર્ણ રેલવે પ્રણાલીઓમાં રેલવે વીજળીકરણ નીચે મુજબ છે:

દેશ

રેલવે વીજળીકરણ

સ્વિટ્ઝર્લેન્ડ

100%

ભારત

99.6%

ચીન

82%

સ્પેન

67%

જાપાન

64%

ફ્રાન્સ

60%

યુનાઇટેડ કિંગડમ

39%

નેટવર્ક કવરેજ દ્વારા, ભારતીય રેલવે હવે વિશ્વની સૌથી વ્યાપક વીજળીકરણ ધરાવતી મોટી રેલવે પ્રણાલીઓમાંની એક છે. ભારતીય રેલવેએ તેના બ્રોડ-ગેજ નેટવર્કના 99.6% ભાગનું વીજળીકરણ કર્યું હતું, જેણે એક દાયકામાં વિશ્વના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ્સમાંથી એક પૂર્ણ કર્યો હતો.

ઇલેક્ટ્રિક ટ્રેક્શન માત્ર પર્યાવરણને અનુકૂળ નથી પરંતુ ઊર્જા કાર્યક્ષમ પણ છે. માર્ગ પરિવહનની સરખામણીમાં રેલવે દ્વારા પરિવહનમાં CO₂ ઉત્સર્જનમાં ઘટાડો નીચે મુજબ છે (સંદર્ભ:- નીતિ આયોગનો અહેવાલ શીર્ષક "ફાસ્ટ ટ્રેકિંગ ફ્રેટ ઇન ઇન્ડિયા", જૂન 2021)

પરિવહનનો પ્રકાર

1 ટન વજન 1 કિમી લઈ જવા માટે CO₂ ઉત્સર્જન

રોડ (માર્ગ)

101 ગ્રામ

રેલવે

11.5 ગ્રામ (આશરે 89% ઓછું)

વધુમાં, રેલવે ટ્રેકના વીજળીકરણથી અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટે છે, ડીઝલનો વપરાશ ઘટે છે જેના પરિણામે કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. વીજળીકરણ વધુ ક્ષમતા અને ઊંચી ટ્રેન ઝડપ સક્ષમ કરે છે, જેનાથી મુસાફરીનો સમય ઘટે છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે.

2015-16 માં 293 કરોડ લિટરના વપરાશની સરખામણીમાં 2024-25 માં આશરે 108 કરોડ લિટર વપરાશ સાથે ટ્રેક્શન હેતુ માટે ભારતીય રેલવેના ડીઝલ વપરાશમાં 185 કરોડ લિટરનો ઘટાડો થયો છે. આના પરિણામે ભારત સરકારની સરકારી તિજોરીમાં કિંમતી વિદેશી હૂંડિયામણની બચત થઈ છે, જે અન્યથા વીજળીકરણને કારણે બચેલા બળતણની આયાત માટે જરૂરી હોત.

વીજળીકરણ ધરાવતી રેલવે સૌર, પવન અને અન્ય પુનઃપ્રાપ્ય ઊર્જાને ટ્રેક્શન પાવર સિસ્ટમ્સમાં સંકલિત કરવા માટે ખૂબ યોગ્ય છે, જે તેમને પુનઃપ્રાપ્ય વીજળીનો ઉપયોગ કરવા માટે સૌથી અસરકારક પરિવહન પ્રણાલી બનાવે છે. ભારતીય રેલવે વ્યૂહાત્મક પાવર પ્રોક્યોરમેન્ટ પ્લાનિંગના આધારે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના ઉપયોગ સાથે સંપૂર્ણ રેલવે વીજળીકરણ નજીક પહોંચીને કાયમી કામગીરી માટે કટિબદ્ધ છે, આમ કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવામાં યોગદાન આપે છે.

ભારતીય રેલવેનો ઉદ્દેશ્ય સૌર, પવન અને એનર્જી સ્ટોરેજ સહિતના પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા તેની ઇલેક્ટ્રિક ટ્રેક્શન પાવર જરૂરિયાતોને ક્રમશઃ પૂરી કરવાનો છે, જેથી કરીને ભારતીય રેલવેના કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડી શકાય. જૂન, 2026 સુધીમાં આશરે 1161 મેગાવોટ (MW) ના સોલાર પ્લાન્ટ્સ (છત અને જમીન બંને પર) અને આશરે 103 મેગાવોટના વિન્ડ પાવર પ્લાન્ટ્સ કમિશન કરવામાં આવ્યા છે.

મિશન 100% વીજળીકરણ અત્યંત પડકારજનક પ્રોજેક્ટ છે, કારણ કે તેમાં ઓપરેશનમાં હોય તેવી રેલવે લાઇનનું વીજળીકરણ કરવાનો સમાવેશ થાય છે અને અમલીકરણ દરમિયાન અણધાર્યા વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે. રેલવે વીજળીકરણના કામને ઝડપી બનાવવા માટે, ભારતીય રેલવે દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં અન્ય બાબતો ઉપરાંત; કમિશનિંગ દરમિયાન આવી રહેલા અવરોધોને ઉકેલવા માટે પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ (PMG) પોર્ટલની રચના, અસરકારક પ્રોજેક્ટ મોનિટરિંગ તંત્ર સુનિશ્ચિત કરવું, ખાતરીપૂર્વકનું ભંડોળ અને ફિલ્ડ યુનિટ્સને નાણાકીય સત્તાઓમાં વધારો કરવાનો સમાવેશ થાય છે.

ઝોન વાઇઝ વીજળીકરણની સ્થિતિ નીચે મુજબ છે:

ક્રમ

ઝોન

% વીજળીકરણ

1

સેન્ટ્રલ રેલવે

100%

2

ઈસ્ટ કોસ્ટ રેલવે

100%

3

ઈસ્ટ સેન્ટ્રલ રેલવે

100%

4

ઈસ્ટર્ન રેલવે

100%

5

કોંકણ રેલવે

100%

6

કોલકાતા મેટ્રો

100%

7

નોર્થ સેન્ટ્રલ રેલવે

100%

8

નોર્થ ઈસ્ટર્ન રેલવે

100%

9

નોધર્ન રેલવે

100%

10

સાઉથ સેન્ટ્રલ રેલવે

100%

11

સાઉથ કોસ્ટ રેલવે

100%

12

સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે

100%

13

સાઉથ ઈસ્ટર્ન રેલવે

100%

14

વેસ્ટ સેન્ટ્રલ રેલવે

100%

15

વેસ્ટર્ન રેલવે

100%

16

નોર્થ વેસ્ટર્ન રેલવે

99.8%

17

નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે

98.7%

18

સધર્ન રેલવે

98.7%

19

સાઉથ વેસ્ટર્ન રેલવે

96.1%

બિહાર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વાઇઝ વીજળીકરણની સ્થિતિ નીચે મુજબ છે:

ક્રમ

રાજ્ય

% વીજળીકરણ

ક્રમ

રાજ્ય

% વીજળીકરણ

1

આંધ્ર પ્રદેશ

100%

16

મિઝોરમ

100%

2

અરુણાચલ પ્રદેશ

100%

17

નાગાલેન્ડ

100%

3

બિહાર

100%

18

ઓડિશા

100%

4

ચંડીગઢ

100%

19

પુડુચેરી

100%

5

છત્તીસગઢ

100%

20

પંજાબ

100%

6

દિલ્હી

100%

21

તેલંગાણા

100%

7

ગુજરાત

100%

22

ત્રિપુરા

100%

8

હરિયાણા

100%

23

ઉત્તર પ્રદેશ

100%

9

હિમાચલ પ્રદેશ

100%

24

ઉત્તરાખંડ

100%

10

જમ્મુ અને કાશ્મીર

100%

25

પશ્ચિમ બંગાળ

100%

11

ઝારખંડ

100%

26

રાજસ્થાન

99.8%

12

કેરળ

100%

27

તામિલનાડુ

98.3%

13

મધ્ય પ્રદેશ

100%

28

અસમ

97.9%

14

મહારાષ્ટ્ર

100%

29

કર્ણાટક

96.8%

15

મેઘાલય

100%

30

ગોવા

91.4%

માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2287586) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Kannada