વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
WTO ખાતે ભારતની 8મી ટ્રેડ પોલિસી રિવ્યુ 21 અને 23 જુલાઈ 2026ના રોજ યોજાશે
વાણિજ્ય સચિવ શ્રી રાજેશ અગ્રવાલ 8મા WTO ટ્રેડ પોલિસી રિવ્યુ માટે ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
प्रविष्टि तिथि:
20 JUL 2026 7:13PM by PIB Ahmedabad
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ખાતે ભારતની 8મી ટ્રેડ પોલિસી રિવ્યુ (TPR) બેઠક 21 અને 23 જુલાઈ 2026 ના રોજ યોજાવાની છે. TPR માટે ભારતના સત્તાવાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ શ્રી રાજેશ અગ્રવાલ કરી રહ્યા છે.
આ સમીક્ષા બે મુખ્ય દસ્તાવેજોના આધારે કરવામાં આવે છે; સમીક્ષા હેઠળના સભ્ય દ્વારા સબમિટ કરવામાં આવેલ નીતિ વિષયક નિવેદન (સરકારી અહેવાલ) અને ડબલ્યુટીઓ (WTO) સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલ, જે તમામ સભ્યોને મોકલવામાં આવે છે. તમામ ડબલ્યુટીઓ (WTO) સભ્યો નિયમિત અંતરાલે સમીક્ષાને આધીન છે, જેમાં વૈશ્વિક વેપારમાં તેમના હિસ્સા દ્વારા આવૃત્તિ નક્કી કરવામાં આવે છે. ભારતની TPR દર પાંચ વર્ષમાં એકવાર યોજાય છે. 8મી TPR 1 જાન્યુઆરી 2021 થી 31 ડિસેમ્બર 2025 સુધીના સમયગાળાને આવરી લે છે.
ભારત માટે TPR પ્રક્રિયા જૂન 2025માં શરૂ થઈ હતી. ચૌદ મહિનાના સમયગાળા દરમિયાન, વાણિજ્ય વિભાગે 100 થી વધુ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓના સંપર્કમાં રહીને આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
સમીક્ષા સમયગાળા દરમિયાન ભારતનું પ્રદર્શન નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. રોગચાળાને કારણે થયેલ વૈશ્વિક અનિશ્ચિતતાઓમાં વધારા પછી, અર્થતંત્રે મજબૂત વાપસી કરી છે અને ત્યારથી ઉચ્ચ વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે, જેણે મુખ્ય અર્થતંત્રોમાં પોતાને સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે સ્થાપિત કર્યું છે.
પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતનો વિદેશી વેપાર પણ મજબૂત રહ્યો છે. 2025-26 માં, મર્ચેન્ડાઇઝ અને સેવાઓની કુલ નિકાસ 863.1 બિલિયન ડોલરની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચી છે, જે 2021-22 માં US$ 676.5 બિલિયનની સરખામણીએ 6.3 ટકાનો ગ્રોથ દર્શાવે છે.
સરકારી અહેવાલ અને WTO સચિવાલયનો અહેવાલ સમીક્ષા સમયગાળા દરમિયાન ભારતની ક્ષમતાઓ/સિદ્ધિઓ પર પ્રકાશ પાડે છે. આમાં વિવિધ મુક્ત વ્યાપાર કરારો દ્વારા તેના વેપારી ભાગીદારો સાથે ભારતનું મજબૂત જોડાણ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માળખાના તર્કસંગતકરણ અને સરળીકરણ જેવા કર સુધારાઓ, અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને વેપાર સુવિધા માટે ડિજિટલ સાધનોનો સમાવેશ સહિતની કેટલીક ડિજિટલ પહેલોનો સમાવેશ થાય છે.
20 જુલાઈ 2026 સુધીમાં, WTOના સભ્યોએ ભારતના લેખિત જવાબો માટે 900થી વધુ પ્રશ્નો રજૂ કર્યા છે, જે ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા અને વેપાર પ્રોફાઇલમાં નોંધપાત્ર રસ દર્શાવે છે. પ્રશ્નોમાં ડિજિટાઇઝેશન અને સંબંધિત સુધારાઓ, MSMEs અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી, વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત અભિયાન સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
સમીક્ષા દરમિયાન 40થી વધુ WTO સભ્યો દ્વારા વક્તવ્ય આપવાની અપેક્ષા છે. ભારતીય પ્રતિનિધિમંડળ સભ્યો માટે રસ ધરાવતા વિવિધ મુદ્દાઓ પર ભારતનું વલણ અને દ્રષ્ટિકોણ રજૂ કરશે અને ભવિષ્ય માટે ભારતનું વિઝન પણ શેર કરશે.
TPRએ ડબલ્યુટીઓ (WTO) હેઠળ એક મહત્વપૂર્ણ પારદર્શિતા મિકેનિઝમ છે. તેમાં WTOમાં પારદર્શિતા, ભવિષ્યવાણી યોગ્યતા અને સમજણ વધારવા માટે, બોર્ડર અને બિહાઇન્ડ-ધ-બોર્ડર પગલાંના બહુવિધ વિષયો ધરાવતી સભ્યની વેપાર નીતિઓની વ્યાપક પીઅર સમીક્ષા સામેલ છે. ટ્રેડ પોલિસી સમીક્ષાઓ ટ્રેડ પોલિસી રિવ્યુ બોડી (TPRB) દ્વારા કરવામાં આવે છે, જેમાં WTOની સંપૂર્ણ સભ્યપદ સામેલ છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2286805)
आगंतुक पटल : 23