વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત–માલદીવ મુક્ત વેપાર કરાર (FTA) અંગેની વાટાઘાટોનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો


ભારત–માલદીવ FTA અંગેની વાટાઘાટોમાં આઠ તકનીકી સત્રો દરમિયાન નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ

प्रविष्टि तिथि: 14 JUL 2026 4:06PM by PIB Ahmedabad

દ્વિપક્ષીય વેપાર અને રોકાણ જોડાણને વિસ્તૃત કરવાની દિશામાં એક મુખ્ય પગલા તરીકે, ભારત-માલદીવ મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ થયો. વાટાઘાટો 29 જૂનથી 7 જુલાઈ 2026 દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી.

ભારતની વાટાઘાટ ટીમનું નેતૃત્વ મુખ્ય વાટાઘાટકાર શ્રી ઉજ્જવલ કુમાર ઘોષ, સંયુક્ત સચિવ, વાણિજ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે માલદીવના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેના મુખ્ય વાટાઘાટકાર શ્રી યુસુફ રઝા દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રથમ રાઉન્ડ દરમિયાન, બંને પક્ષોની વાટાઘાટ ટીમોએ આઠ નીતિ ક્ષેત્રોને આવરી લેતા આઠ ટેકનિકલ સત્રોમાં લખાણ-આધારિત ચર્ચાઓમાં ભાગ લીધો હતો. બંને પક્ષોએ વાટાઘાટોના માર્ગો પર નોંધપાત્ર પ્રગતિ કરી અને અનેક મુદ્દાઓ પર વ્યાપક સંમતિ સાધી છે.

8 જુલાઈ 2026 ના રોજ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ તેમના માલદીવના સમકક્ષ, માલદીવના આર્થિક વિકાસ, પરિવહન અને વેપાર મંત્રી શ્રી મોહમ્મદ સઈદ સાથે મુલાકાત કરી હતી. મંત્રીઓએ ભારત-માલદીવ FTA વાટાઘાટો સહિત ચાલી રહેલી દ્વિપક્ષીય આર્થિક પહેલોની પ્રગતિની સમીક્ષા કરી હતી. ભારત અને માલદીવ રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બંને પક્ષોએ દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) અને મુક્ત વેપાર કરાર (FTA) ના નિષ્કર્ષને ઝડપી બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. તેઓ બંને દેશો માટે નવી તકો ખોલવા માટે પ્રવાસન, સ્ટાર્ટઅપ્સ, ડિજિટલ ચુકવણીઓ, MSMEs અને વેપારમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા હતા.

ભારત માલદીવનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2024-25 માં USD 679.70 મિલિયનની સરખામણીમાં 2025-26 માં USD 771.76 મિલિયન રહ્યો હતો, જેમાં 13.54 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

પ્રસ્તાવિત એફટીએથી બજારની પહોંચ વધારીને, રોકાણને સરળ બનાવીને, વધુ આર્થિક સહકારને પ્રોત્સાહન આપીને અને બંને દેશોમાં ટકાઉ આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપીને દ્વિપક્ષીય આર્થિક અને વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે. બંને પક્ષો નિષ્પક્ષતા અને પારસ્પરિકતાના સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શિત એવા વ્યાપક, સંતુલિત અને સર્વગ્રાહી કરાર તરફ કામ કરી રહ્યા છે.

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2284476) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Malayalam