રાજ્યસભા સચિવાલય
રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવા ચૂંટાયેલા અને ફરીથી ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા
प्रविष्टि तिथि:
29 JUN 2026 1:45PM by PIB Ahmedabad
માનનીય સભાપતિ, રાજ્યસભા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે રાજ્યસભા ચેમ્બરમાં સાત નવ-ચૂંટાયેલા/પુનઃ ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા હતા, જેમાં શ્રી માનસિંગ મેરામણ પરમાર, શ્રી તરુણ ચુઘ, ડૉ. અલકા સિંહ, શ્રી જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયા, શ્રી રાજેન્દ્ર હીરાલાલ જૈન, શ્રી એમ. નાગરાજા અને શ્રીમતી અધિકારીમાયુમ શારદા દેવીનો સમાવેશ થાય છે.
ચાર સભ્યોએ હિન્દીમાં, એક સભ્યએ કન્નડમાં, એક સભ્યએ પંજાબીમાં અને એક સભ્યએ મણિપુરીમાં શપથ લીધા હતા. બે સભ્યો ગુજરાત રાજ્યના છે અને બાકીના કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને રાજસ્થાનમાંથી એક-એક છે.
આ અવસરે રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ; રાજ્યસભાના ગૃહના નેતા અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ તથા રસાયણ અને વિષયક ખાતરોના મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા; સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ; કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ; રાજ્યસભાના સભ્યો શ્રી જયરામ રમેશ, શ્રી પ્રફુલ્લ પટેલ; રાજ્યસભાના મહાસચિવ શ્રી પી. સી. મોદી અને સચિવાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2278970)
आगंतुक पटल : 27