ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા પ્રધાન શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભગવાન અયપ્પા મંદિરમાં પૂજા અર્ચના કરી
प्रविष्टि तिथि:
07 JUN 2026 9:46PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા પ્રધાન શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભગવાન અયપ્પા મંદિરમાં પૂજા અર્ચના કરી અને મંદિર પરિસરમાં નવ-નિર્મિત સબરીશમ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું.
X પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "નવી દિલ્હીના આર.કે. પુરમમાં ભગવાન અયપ્પા મંદિરમાં પૂજા કરવાનો લહાવો મળ્યો. ભગવાન અયપ્પા આનંદ આપનારા અને આપણા રાષ્ટ્રને એકજૂથ કરનારા પવિત્ર મૂલ્યોના પ્રતિક છે. ભગવાનને સૌના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી."
અન્ય એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "આજે, નવી દિલ્હીમાં અયપ્પા મંદિર પરિસરમાં, નવ-નિર્મિત સબરીશમ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ નવી સુવિધા મંદિર દ્વારા હાથ ધરવામાં આવતા આધ્યાત્મિક પ્રવચનો અને કલ્યાણકારી પહેલોને સમાવશે અને કેરળના આપણા બહેનો અને ભાઈઓના સાંસ્કૃતિક મૂળને મજબૂત કરશે."
SM/IJ/GP/JT
(रिलीज़ आईडी: 2270122)
आगंतुक पटल : 8