પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ના 134માં એપિસોડના તેમના સંબોધનની મુખ્ય વિશેષતાઓ શેર કરી
પોસ્ટેડ ઓન:
31 MAY 2026 1:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ ના 134મા એપિસોડના તેમના સંબોધનની મુખ્ય હાઇલાઇટ્સ શેર કરી છે.
X પરની પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું;
“ગુરિન્દરવીર સિંહ અને અનિમેષ કુજુર સાથેની વાતચીત ખૂબ જ ખાસ રહી, જે ભારતીય એથ્લેટિક્સનું ભવિષ્ય કેમ ખૂબ જ ઉજ્જવળ છે તેની ઝલક આપે છે!
#MannKiBaat”
“ભારતની કેરીઓ અને કેરીઓની વિવિધતા ચોક્કસપણે એક ખાસ ઉલ્લેખને પાત્ર છે! તમારી મનપસંદ કઈ છે?
#MannKiBaat”
“ઉનાળાની ગરમીને મ્હાત આપવાનો એક ઉત્તમ ઉપાય સ્વિમિંગ છે. #MannKiBaat દરમિયાન, કેરળમના સાજીજીના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો, જેઓ ભવિષ્યના તરવૈયાઓને તાલીમ આપી રહ્યા છે!
#MannKiBaat”
“સમગ્ર ભારતમાં, અસંખ્ય ક્લબ અને સોસાયટીઓ છે જે યુવાનોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવી રહી છે. મને આવા દરેક પ્રયાસ પર ગર્વ છે.
#MannKiBaat”
“ઉત્તર પ્રદેશમાં એક ડોલ્ફિન રેસ્ક્યૂ એમ્બ્યુલન્સ પ્રશંસનીય કામ કરી રહી છે અને જેમના સથવારે આપણે આપણો ગ્રહ શેર કરીએ છીએ તેમની સંભાળ રાખવાનો એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહી છે.
#MannKiBaat”
“ઉત્તર પ્રદેશના આકાશ ગુપ્તાજી અને ગોવાના બાલકૃષ્ણ ઐયાજી જેવા લોકો જળ સંરક્ષણમાં મોખરે છે, અને આ રીતે ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) નો એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યા છે.
#MannKiBaat”
“તમિલનાડુના ગિરિજા અમ્મા સાથેની મારી મુલાકાતને યાદ કરી અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના અતુલનીય જુસ્સા પર પ્રકાશ પાડ્યો. શિક્ષણ ક્ષેત્રે તેમના કામ માટે જયગોપાલ ગારોડિયા હિન્દુ વિદ્યાલય શાળાઓની પણ પ્રશંસા કરી.
#MannKiBaat”
“નેધરલેન્ડ્સની મારી મુલાકાત પછી, ભારત પરત લવાયેલી ચોળ તામ્રપત્ર વિશે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તેથી, #MannKiBaat દરમિયાન તે વિશે વાત કરી અને છત્તીસગઢમાં ત્રણ દુર્લભ તામ્રપત્રોની તાજેતરની શોધ પર પણ પ્રકાશ પાડ્યો.”
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2267213)
મુલાકાતી સંખ્યા : 33
આ રીલીઝ વાંચો:
Malayalam
,
Manipuri
,
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi