પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ના 134માં એપિસોડના તેમના સંબોધનની મુખ્ય વિશેષતાઓ શેર કરી

પોસ્ટેડ ઓન: 31 MAY 2026 1:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 134મા એપિસોડના તેમના સંબોધનની મુખ્ય હાઇલાઇટ્સ શેર કરી છે.

X પરની પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું;

ગુરિન્દરવીર સિંહ અને અનિમેષ કુજુર સાથેની વાતચીત ખૂબ જ ખાસ રહી, જે ભારતીય એથ્લેટિક્સનું ભવિષ્ય કેમ ખૂબ જ ઉજ્જવળ છે તેની ઝલક આપે છે!

#MannKiBaat”

ભારતની કેરીઓ અને કેરીઓની વિવિધતા ચોક્કસપણે એક ખાસ ઉલ્લેખને પાત્ર છે! તમારી મનપસંદ કઈ છે?

#MannKiBaat”

ઉનાળાની ગરમીને મ્હાત આપવાનો એક ઉત્તમ ઉપાય સ્વિમિંગ છે. #MannKiBaat દરમિયાન, કેરળમના સાજીજીના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો, જેઓ ભવિષ્યના તરવૈયાઓને તાલીમ આપી રહ્યા છે!

#MannKiBaat”

સમગ્ર ભારતમાં, અસંખ્ય ક્લબ અને સોસાયટીઓ છે જે યુવાનોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવી રહી છે. મને આવા દરેક પ્રયાસ પર ગર્વ છે.

#MannKiBaat”

ઉત્તર પ્રદેશમાં એક ડોલ્ફિન રેસ્ક્યૂ એમ્બ્યુલન્સ પ્રશંસનીય કામ કરી રહી છે અને જેમના સથવારે આપણે આપણો ગ્રહ શેર કરીએ છીએ તેમની સંભાળ રાખવાનો એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહી છે.

#MannKiBaat”

ઉત્તર પ્રદેશના આકાશ ગુપ્તાજી અને ગોવાના બાલકૃષ્ણ ઐયાજી જેવા લોકો જળ સંરક્ષણમાં મોખરે છે, અને આ રીતે ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) નો એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યા છે.

#MannKiBaat”

તમિલનાડુના ગિરિજા અમ્મા સાથેની મારી મુલાકાતને યાદ કરી અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના અતુલનીય જુસ્સા પર પ્રકાશ પાડ્યો. શિક્ષણ ક્ષેત્રે તેમના કામ માટે જયગોપાલ ગારોડિયા હિન્દુ વિદ્યાલય શાળાઓની પણ પ્રશંસા કરી.

#MannKiBaat”

નેધરલેન્ડ્સની મારી મુલાકાત પછી, ભારત પરત લવાયેલી ચોળ તામ્રપત્ર વિશે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તેથી, #MannKiBaat દરમિયાન તે વિશે વાત કરી અને છત્તીસગઢમાં ત્રણ દુર્લભ તામ્રપત્રોની તાજેતરની શોધ પર પણ પ્રકાશ પાડ્યો.”

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2267213) મુલાકાતી સંખ્યા : 33