પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતે ‘એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટ’ થીમ હેઠળ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ 2026 નિમિત્તે જૈવવિવિધતા સંરક્ષણ અને સમુદાય-આધારિત કામગીરી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુર્નોચ્ચાર કર્યો


કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ જૈવવિવિધતા સંરક્ષણમાં સ્થાનિક કાર્ય, ABS ફ્રેમવર્ક અને સામુદાયિક ભાગીદારીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો

પ્રોજેક્ટ ચિતાએ વસવાટ સંરક્ષણ, વૈજ્ઞાનિક વન્યજીવન વ્યવસ્થાપન અને સંરક્ષણ પ્રયાસોમાં સામુદાયિક ભાગીદારીને મજબૂત બનાવી છે: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી

પોસ્ટેડ ઓન: 22 MAY 2026 1:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ (IIFM), ભોપાલ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ (IDB) 2026ની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી અને ચિતા સંરક્ષણ પરના એક કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમ ‘‘એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટથીમ પર આધારિત હતો, જે જૈવવિવિધતા સંરક્ષણ, સામુદાયિક ભાગીદારી અને પર્યાવરણીય પુનઃસંગ્રહ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા મધ્યપ્રદેશ સરકાર, રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (NBA) અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ વર્ધન સિંહ અને મધ્યપ્રદેશના વન અને પર્યાવરણ મંત્રી શ્રી દિલીપ અહિરવાર સામેલ હતા. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ, NBA, IBCAના પદાધિકારીઓ, વૈજ્ઞાનિકો, વન અધિકારીઓ, જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો, સંશોધકો, ઉદ્યોગોના પ્રતિનિધિઓ, નાગરિક સમાજ સંગઠનો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા ડૉ. મોહન યાદવે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, જે વ્યાપકપણે ભારતના 'ટાઈગર સ્ટેટ' તરીકે ઓળખાય છે, તે દેશમાં જૈવવિવિધતા સંરક્ષણ અને વન્યજીવન સંરક્ષણનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. તેમણે રાજ્યની સમૃદ્ધ પર્યાવરણીય વિવિધતા પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં જંગલો, વેટલેન્ડ્સ અને નદીઓની નિવસનતંત્રો સામેલ છે જે આજીવિકા અને પર્યાવરણીય સુરક્ષાને ટેકો આપે છે.

મુખ્યમંત્રીએ મધ્યપ્રદેશમાં ચિતાઓના પુનઃપ્રવેશને ભારતની સંરક્ષણ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ અને પર્યાવરણીય પુનઃસંગ્રહ તથા જૈવવિવિધતા પુનઃપ્રાપ્તિના પ્રતીક તરીકે ગણાવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે પ્રોજેક્ટ ચિતાએ વસવાટ સંરક્ષણ, વૈજ્ઞાનિક વન્યજીવન વ્યવસ્થાપન અને સંરક્ષણ પ્રયાસોમાં સામુદાયિક ભાગીદારીને મજબૂત બનાવી છે.

ડૉ. યાદવે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે મધ્યપ્રદેશે જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ અને લોકોના જૈવવિવિધતા રજીસ્ટરની તૈયારી દ્વારા જૈવવિવિધતા શાસનને મજબૂત કરવા તરફ નોંધપાત્ર પગલાં લીધાં છે, જેનાથી સ્થાનિક સમુદાયોને પરંપરાગત જ્ઞાન અને જૈવિક સંસાધનોનું સંરક્ષણ કરવા માટે સશક્ત બનાવવામાં આવ્યા છે.

પોતાના સંબોધનમાં શ્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ 2026ની થીમ ‘એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટપર્યાવરણીય સ્થિરતા અને પર્યાવરણીય સુરક્ષા પ્રાપ્ત કરવા માટે સમુદાયો અને સ્થાનિક સંસ્થાઓને સશક્ત બનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અર્થપૂર્ણ વૈશ્વિક પરિણામો માત્ર મજબૂત સ્થાનિક પગલાં, સામુદાયિક ભાગીદારી અને ટકાઉ જીવનશૈલી દ્વારા જ આવી શકે છે.

મંત્રીએ ભારતના સમૃદ્ધ જૈવવિવિધતા વારસા અને પરંપરાગત ઇકોલોજીકલ જ્ઞાન પ્રણાલીઓ પર પણ પ્રકાશ પાડ્યો, નોંધ્યું કે ભારત, વિશ્વના મેગાડાઇવર્સ દેશોમાંના એક તરીકે, હિમાલય અને જંગલોથી લઈને ભીના મેદાનો, ઘાસના મેદાનો, રણ, દરિયાકાંઠા અને દરિયાઇ ઇકોસિસ્ટમ સુધીની વિવિધ ઇકોસિસ્ટમ ધરાવે છે. તેમણે અવલોકન કર્યું કે સમુદાય-આગેવાની હેઠળની સંરક્ષણ પરંપરાઓ જેમ કે પવિત્ર ઉપવનો (સેક્રેડ ગ્રોવ્સ), લોક જાતો, લેન્ડરેસિસ (સ્થાનિક પાકની જાતો) અને સ્થાનિક સંભાળ પ્રથાઓ લોકો અને પ્રકૃતિ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને ઇકોલોજીકલ સંબંધને દર્શાવે છે.

મંત્રીએ નોંધ્યું હતું કે સંરક્ષણની વિચારસરણી માત્ર એક જ પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જીવનના સમગ્ર સ્પેક્ટ્રમ અને પરસ્પર જોડાયેલા નિવસનતંત્રોના રક્ષણ તરફ વિકસિત થઈ છે. તેમણે કહ્યું કે પર્યાવરણીય વૈજ્ઞાનિકોએ વધુને વધુ સ્વીકાર્યું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ અલગ આઇસોલેશનમાં જીવી શકતા નથી, પરંતુ તેઓ જટિલ અને પરસ્પર નિર્ભર પર્યાવરણીય પ્રણાલીઓ પર આધાર રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે એકંદર જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાથી આબોહવા પરિવર્તન જેવા પડકારો સામે પ્રકૃતિની સ્થિતિસ્થાપકતા અને અનુકૂલન ક્ષમતા મજબૂત બને છે.

શ્રી યાદવે જૈવિક વિવિધતા પરના સંમેલન અને કુનમિંગ-મોન્ટ્રીયલ ગ્લોબલ જૈવવિવિધતા માળખાના અમલીકરણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે જણાવ્યું કે જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 એ રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ, રાજ્ય જૈવવિવિધતા બોર્ડ અને જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ (BMCs) દ્વારા એક મજબૂત વિકેન્દ્રિત સંસ્થાકીય માળખું સ્થાપિત કર્યું છે.

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે BD એક્ટ, નિયમો અને વિનિયમોમાં તાજેતરના સુધારાઓ ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે અને વ્યવસાય કરવાની સરળતા (ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ) ને સુવિધાજનક બનાવે છે. જેના પરિણામે સ્થાનિક સમુદાયોને ઉદ્યોગો તરફથી યોગ્ય લાભો મળી રહ્યા છે. એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ (ABS) મિકેનિઝમ હેઠળ પ્રાપ્ત થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં લાભાર્થીઓને આશરે Rs.145 કરોડ મુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી લગભગ 11,000 જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓને ફાયદો થયો છે. મંત્રીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને વિનંતી કરી કે તેઓ ABSના લાભો ટ્રાન્સફર કરીને ગ્રામ્ય સ્તરની BMCsને સુવિધા આપે, જે તેમને મિશન મોડમાં જૈવવિવિધતા સંરક્ષણની દિશામાં કામ કરવા માટે વધુને વધુ સશક્ત બનાવશે.

શ્રી યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2022માં મોટા માંસાહારી પ્રાણીના વિશ્વના પ્રથમ આંતરખંડીય સ્થાનાંતરણ  દ્વારા શરૂ કરાયેલ પ્રોજેક્ટ ચિતા, પર્યાવરણીય પુનઃસંગ્રહ, જૈવવિવિધતા સંરક્ષણ અને ઘાસના મેદાનોની નિવસનતંત્રોના પુનરુત્થાન પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે નોંધ્યું હતું કે ભારતમાં ચિતાઓનું સફળ અનુકૂલન અને સંવર્ધન એ લાંબા ગાળાની પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને વસવાટ પુનઃસંગ્રહના પ્રયાસોમાં પ્રોત્સાહક પ્રગતિ દર્શાવે છે.

આ કાર્યક્રમને સંબોધતા, શ્રી કીર્તિ વર્ધન સિંહે ભાર મૂક્યો કે જૈવવિવિધતા સંરક્ષણ ખાદ્ય સુરક્ષા, જળ સુરક્ષા, આજીવિકા, આબોહવા સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વિકાસ સાથે આંતરિક રીતે જોડાયેલું છે. તેમણે ભારતના પરંપરાગત ઇકોલોજીકલ જ્ઞાનપ્રણાલી અને ટકાઉ જીવનશૈલીના મહત્વ પર ભાર મૂક્યો, જેમાં પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) ની વૈશ્વિક ચળવળનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જૈવવિવિધતા પર વાતચીત તમામ પર્યાવરણીય સંરક્ષણ ક્રિયાઓનો પાયો બનાવે છે.

આ કાર્યક્રમમાં જૈવવિવિધતાની જવાબદારી, પર્યાવરણીય પુનઃસંગ્રહ, ટકાઉ સોર્સિંગ અને સંરક્ષણ ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ, સંરક્ષણ સંગઠનો અને સ્થાનિક સમુદાયોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ પ્રસંગે, નીચેના પ્રકાશનો, પહેલો અને પ્રચાર સામગ્રીઓ જાહેર કરવામાં આવી હતી:

a. કસ્ટમાઇઝ્ડ માયસ્ટેમ્પ (MyStamp)

b. ઇન્ડિયાઝ બાયોડાયવર્સિટી રિપોર્ટ 2026: ઇનસાઇટ્સ ફ્રોમ ધ 7th નેશનલ રિપોર્ટ ટુ CBD

c. ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન ઇમ્પ્લીમેન્ટિંગ ABS: ઇનસાઇટ્સ ફ્રોમ ઇન્ડિયાઝ ફર્સ્ટ નેશનલ રિપોર્ટ ઓન ધ નાગોયા પ્રોટોકોલ

d. ABS એન્ડ-ટુ-એન્ડ પોર્ટલ

e. એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ પર ફિલ્મ

f. અમરકંટક બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ પર ફિલ્મ

g. મધ્યપ્રદેશના દેવલોક વન (પવિત્ર ઉપવનો) ના સંરક્ષણ પર ફિલ્મ

આ કાર્યક્રમની સાથે સાથે, રાજ્ય જૈવવિવિધતા બોર્ડ, જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ (BMCs) અને વિવિધ વિભાગોએ થીમ આધારિત પ્રદર્શનો દ્વારા તેમની સિદ્ધિઓ, નવીન પહેલો અને જૈવ-આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું. આ પ્રદર્શને શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા, સમુદાય-આગેવાની હેઠળના સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને જૈવવિવિધતા-આધારિત ટકાઉ આજીવિકાને પ્રકાશિત કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડ્યું. મહાનુભાવોએ IIFM ભોપાલ ખાતે રાજ્ય વન વિભાગની 20 બાઇક અને એક રેસ્ક્યૂ ટ્રકને લીલી ઝંડી બતાવીને રવાના પણ કરી હતી.

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2264062) મુલાકાતી સંખ્યા : 25