પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 10-11 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે
પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રધાનમંત્રી સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે
પ્રધાનમંત્રી સોમનાથ મંદિરે વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણમાં સહભાગી થશે
પ્રધાનમંત્રી વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે
પોસ્ટેડ ઓન:
09 MAY 2026 11:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10-11 મે, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ 10 મેના રોજ મોડી રાત્રે જામનગર, ગુજરાત પહોંચશે. 11 મેના રોજ પ્રધાનમંત્રી આશરે સવારે 10:15 વાગ્યે સોમનાથ મંદિર ખાતે સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. ત્યારબાદ પ્રધાનમંત્રી વડોદરા જશે, જ્યાં તેઓ આશરે સાંજે 6 વાગ્યે સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. તેઓ બંને પ્રસંગોએ જનમેદનીને સંબોધિત પણ કરશે.
પ્રધાનમંત્રી સોમનાથમાં
પ્રધાનમંત્રી બાર જ્યોતિર્લિંગોમાંના એક અને ભારતની અતૂટ શ્રદ્ધા અને સભ્યતાના વારસાના પ્રતીક એવા પવિત્ર સોમનાથ મંદિર ખાતે સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. સોમનાથ અમૃત મહોત્સવ પુનઃનિર્મિત મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થયાની યાદમાં ઉજવવામાં આવે છે.
ઉજવણીના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રેણીબદ્ધ મંગલ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લેશે, ત્યારબાદ કુંભાભિષેક અને ધ્વજારોહણ વિધિ થશે, જે પવિત્ર વિધિઓ અને મંદિરના ધ્વજ લહેરાવવાનું સૂચન કરે છે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વની સ્મૃતિમાં સ્મરણાત્મક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.
પ્રધાનમંત્રી વડોદરામાં
પ્રધાનમંત્રી વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટમાં 1,000 છોકરાઓ અને 1,000 છોકરીઓ માટે હોસ્ટેલની સુવિધાઓ સાથે સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી સરદારધામ સંકુલમાં રિસેપ્શન એરિયા, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ એરિયા અને ઇ-લાઇબ્રેરી સહિતની વિવિધ સુવિધાઓની મુલાકાત પણ લેશે.
SM/JY/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2259287)
મુલાકાતી સંખ્યા : 21