પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિઃસ્વાર્થ સેવા અને કરુણાની ભાવનાને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પોસ્ટેડ ઓન: 06 MAY 2026 9:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલું કાર્ય માનવતાનું સાચું સ્વરૂપ છે. તેમણે નોંધ્યું હતું કે આવા કાર્યો માત્ર આંતરિક સુખ જ નથી લાવતા પરંતુ સમાજના કલ્યાણમાં પણ યોગદાન આપે છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा

अनुग्रहश्च दानं शीलमेतत्प्रशस्यते॥”

સુભાષિતનો અર્થ એ છે કે મન, વચન કે કર્મ દ્વારા કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ ન રાખવો, તમામ પ્રત્યે કરુણા સાથે વર્તવું અને ઉદારતાથી દાન આપવું - આને સર્વોચ્ચ આચરણ માનવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"સાચી માનવતા નિઃસ્વાર્થ કાર્યમાં રહેલી છે. તે માત્ર આધ્યાત્મિક સુખ જ નહીં પરંતુ સમાજને પણ લાભ આપે છે."

अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा

अनुग्रहश्च दानं शीलमेतत्प्रशस्यते॥”

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2258291) મુલાકાતી સંખ્યા : 9