પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાબા વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી; દેશના લોકોની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી
પોસ્ટેડ ઓન:
29 APR 2026 11:45AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાશીમાં બાબા વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી, જ્યાં તેમણે દેશના લોકોના સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.
"હર હર મહાદેવ!"
મને કાશીના બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. અહીં, મેં ભગવાન ભોળાનાથ સમક્ષ મારા તમામન દેશવાસીઓ માટે સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી.
મને માતા અન્નપૂર્ણા અને માતા ગંગાના દર્શનથી અપાર શાંતિ મળી. તેમના આશીર્વાદ દરેકને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે!
ફરી એકવાર, હું કાશીના લોકોને નમન કરું છું.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2256532)
મુલાકાતી સંખ્યા : 18