પ્રધાનમંત્રીનું કાર્યાલય
નીતિ આયોગની પુનર્ગઠન પર પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
25 APR 2026 10:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની પુનર્ગઠન પર પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે નીતિ આયોગ ભારતની નીતિ ઘડતરના માળખામાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે, જે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે, મુખ્ય સુધારાઓને વેગ આપે છે અને નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'માં વધારો કરે છે. આ સંસ્થા તમામ ક્ષેત્રોમાં નવીનતા અને લાંબા ગાળાના વ્યૂહાત્મક ચિંતન માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે.
નીતિ આયોગની પુનર્ગઠન પર, પ્રધાનમંત્રીએ શ્રી અશોક કુમાર લાહિરીજીને ઉપાધ્યક્ષ તરીકે તેમની નિમણૂક બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શ્રી રાજીવ ગૌબાજી, પ્રો. કે. વી. રાજુજી, પ્રો. ગોવર્ધન દાસજી, પ્રો. અભય કરંદીકરજી અને ડૉ. એમ. શ્રીનિવાસજીને પૂર્ણકાલીન સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"નીતિ આયોગ ભારતની નીતિ-નિર્માણ સંરચનામાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે, જે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે, સુધારાઓને આગળ ધપાવે છે અને 'ઇઝ ઓફ લિવિંગ' ને પ્રોત્સાહન આપે છે. તે વિવિધ ક્ષેત્રોમાં નવીનતા અને લાંબા ગાળાના વ્યૂહાત્મક ચિંતન માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.
સરકારે નીતિ આયોગની પુનર્ગઠન કરી છે. શ્રી અશોક કુમાર લાહિરીજીને ઉપાધ્યક્ષ બનવા બદલ મારી શુભેચ્છાઓ. શ્રી રાજીવ ગૌબાજી, પ્રો. કે. વી. રાજુજી, પ્રો. ગોવર્ધન દાસજી, પ્રો. અભય કરંદીકરજી અને ડૉ. એમ. શ્રીનિવાસજીને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્યો બનવા બદલ પણ મારી શુભેચ્છાઓ.
તેમનો આગામી કાર્યકાળ ઉત્પાદક અને પ્રભાવશાળી રહે તેવી સૌને શુભકામનાઓ."
@NITIAayog
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2255617)
મુલાકાતી સંખ્યા : 12