પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી

પોસ્ટેડ ઓન: 22 APR 2026 11:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે  પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડિતોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ક્યારેય ભૂલાશે નહીં અને આ દુઃખની ઘડીમાં તેમના પરિવારો સાથે ઉભા રહેવાની રાષ્ટ્રની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આ દુઃખની ઘડીમાં અને આતંકવાદ સામેના તેના અતૂટ સંકલ્પમાં એકતા સાથે ઉભું છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે દેશ ક્યારેય કોઈપણ રીતે આતંકવાદ સામે ઝૂકશે નહીં અને આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ગયા વર્ષે આજના દિવસે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરું છું. તેમને ક્યારેય ભૂલવામાં આવશે નહીં. આ દુઃખ સહન કરી રહેલા શોકગ્રસ્ત પરિવારો સાથે મારી લાગણીઓ અને સંવેદનાઓ છે.

એક રાષ્ટ્ર તરીકે, આપણે શોક અને સંકલ્પમાં એકતાથી ઉભા છીએ. ભારત ક્યારેય કોઈપણ પ્રકારના આતંકવાદ સામે ઝૂકશે નહીં. આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2254388) મુલાકાતી સંખ્યા : 22