પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
14 APR 2026 9:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી છે.
X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;
“બાબાસાહેબ ડૉ. આંબેડકરનું જીવન ગરીબો, વંચિતો અને શોષિતોને ન્યાયી વ્યવસ્થા આપવા માટે સમર્પિત હતું. અમારી સરકાર પણ આજે તે જ ભાવના સાથે સૌને સાચો સામાજિક ન્યાય આપવામાં લાગેલી છે.”
“દેશના રસ્તાઓ, હાઈવે, એક્સપ્રેસ-વે, એર-વે, રેલ-વે અને વોટર-વે એ વિકાસની ભાગ્ય રેખાઓ છે. છેલ્લા એક દાયકાથી અમારી સરકાર તેના નિર્માણમાં નિરંતર પ્રયત્નશીલ છે.”
“આજે જે દહેરાદૂન-દિલ્હી ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન થયું છે, તેનાથી આખા ક્ષેત્રનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. તેનાથી માત્ર આવવા-જવાનું સસ્તું અને ઝડપી જ નહીં થાય, પરંતુ ઉત્તરાખંડના પ્રવાસન અને વ્યાપારને પણ ઘણો ફાયદો થશે.”
“ઉત્તરાખંડમાં દેશ-દુનિયામાંથી આવતા તમામ પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓને મારી આ વિશેષ અપીલ...”
“દેવભૂમિ ઉત્તરાખંડથી દેશના તમામ પક્ષોને મારો ફરી એકવાર આગ્રહ છે કે તેઓ નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારાને જરૂર સમર્થન આપે. અમે 2029 થી જ દેશની માતાઓ-બહેનોને તેમનો હક આપીને જ રહીશું.”
“સેનાના સામર્થ્યને સશક્ત કરવાનું હોય કે આપણા સૈનિક પરિવારોની સુવિધા અને સન્માનની વાત હોય, અમારી સરકાર આ દિશામાં કોઈ કસર છોડી રહી નથી.”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2251990)
મુલાકાતી સંખ્યા : 12