ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ તમિલનાડુની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
21 FEB 2026 4:32PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ તમિલનાડુની મુલાકાત લેશે.
મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મદુરાઈના વંદિયુર ખાતે તિરુ વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઈની પ્રતિમાના શિલાન્યાસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.
ઉપરાષ્ટ્રપતિ શિવગંગામાં તિરુકોષ્ટીયુર સૌમ્ય નારાયણ પેરુમલ મંદિર અને રાણી વેલુ નચિયાર પેલેસની પણ મુલાકાત લેશે.
SM/DK/GP/JD
(રીલીઝ આઈડી: 2231277)
મુલાકાતી સંખ્યા : 7