પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત દ્વારા વિચાર અને કાર્યની શિસ્તના મહત્વ પર ભાર મૂક્યો
પોસ્ટેડ ઓન:
05 FEB 2026 9:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જીવનમાં વિચારોની સ્પષ્ટતા અને દ્રઢ કાર્યના મહત્વ પર ભાર મૂક્યો હતો, અને અનિર્ણાયકતા તેમજ ડગમગાવાના જોખમોને પ્રકાશિત કરવા માટે પ્રાચીન જ્ઞાનનો સહારો લીધો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અનિર્ણાયકતા મનને નબળું પાડે છે અને હેતુને વિકૃત કરે છે. તેમણે નોંધ્યું હતું કે એકવાર મૂળભૂત ક્રિયાઓ ગતિમાં આવી જાય, પછી પડકારો વધુ ઊંડા અને જટિલ બને છે, જે શિસ્ત, એકતા અને અતૂટ સંકલ્પ માંગી લે છે.
પ્રધાનમંત્રીએ X પર એક સંસ્કૃત સુભાષિત ટાંક્યું:
“विकल्पमात्रावस्थाने वैरूप्यं मनसो भवेत्।
पश्चान्मूलक्रियारम्भगम्भीरावर्तदुस्तरः।।”
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2223532)
મુલાકાતી સંખ્યા : 14