પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડોડા દુર્ઘટનામાં સેનાના જવાનોની જાનહાનિ માટે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
22 JAN 2026 8:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોડામાં થયેલી દુખદ દુર્ઘટનામાં સેનાના બહાદુર જવાનોની થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ડોડામાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ વ્યથિત છે, જેમાં આપણે આપણા બહાદુર સેનાના જવાનોને ગુમાવ્યા છે. રાષ્ટ્ર માટે તેમની સેવા હંમેશા યાદ રાખવામાં આવશે.
શ્રી મોદીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી અને કહ્યું હતું કે અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ડોડામાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ વ્યથિત છું, જેમાં આપણે આપણા બહાદુર સેનાના જવાનોને ગુમાવ્યા છે. રાષ્ટ્ર માટે તેમની સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે.”
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2217450)
મુલાકાતી સંખ્યા : 69
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam