પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સમગ્ર અરવલ્લીનું રક્ષણ કરશે; કોઈ નવી ખાણકામ લીઝ નહીં; સુરક્ષિત ઝોનનો વિસ્તાર કરવામાં આવશે

प्रविष्टि तिथि: 24 DEC 2025 7:12PM by PIB Ahmedabad

દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ગેરકાયદેસર ખાણકામથી રક્ષણ તરફના એક મોટા પગલાં તરીકે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) રાજ્યોને અરવલ્લીમાં કોઈપણ નવી ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટેના નિર્દેશો જારી કર્યા છે.

નિષેધ સમગ્ર અરવલ્લી લેન્ડસ્કેપમાં સમાન રીતે લાગુ પડે છે અને તેનો હેતુ પર્વતમાળાની અખંડિતતાને જાળવી રાખવાનો છે. નિર્દેશોનો હેતુ ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) સુધી વિસ્તરેલી એક અવિરત ભૌગોલિક રિજ તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને તમામ અનિયંત્રિત ખાણકામ પ્રવૃત્તિઓને રોકવાનો છે.

વધુમાં, MoEF&CC ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE) ને સમગ્ર અરવલ્લીમાં એવા વધારાના વિસ્તારો/ઝોન ઓળખવા માટે નિર્દેશ આપ્યો છે, જ્યાં પારિસ્થિતિક (ecological), ભૌગોલિક અને લેન્ડસ્કેપ-સ્તરની બાબતોના આધારે, કેન્દ્ર દ્વારા પહેલેથી પ્રતિબંધિત વિસ્તારો ઉપરાંત ખાણકામ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

ICFRE ને સમગ્ર અરવલ્લી પ્રદેશ માટે ટકાઉ ખાણકામ માટે વ્યાપક, વિજ્ઞાન-આધારિત મેનેજમેન્ટ પ્લાન (MPSM) તૈયાર કરતી વખતે કવાયત હાથ ધરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. યોજના, જે વ્યાપક હિતધારકોની પરામર્શ માટે જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવશે, તે સંચિત પર્યાવરણીય અસર અને પારિસ્થિતિક વહન ક્ષમતા (ecological carrying capacity) નું મૂલ્યાંકન કરશે, પારિસ્થિતિક રીતે સંવેદનશીલ અને સંરક્ષણ-નિર્ણાયક વિસ્તારોને ઓળખશે અને પુનઃસ્થાપન તથા પુનર્વસન માટેના પગલાં નિર્ધારિત કરશે.

કેન્દ્રની કવાયત સ્થાનિક ટોપોગ્રાફી, ઇકોલોજી અને જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને સમગ્ર અરવલ્લીમાં સુરક્ષિત અને ખાણકામથી પ્રતિબંધિત વિસ્તારોના વ્યાપને વધુ વિસ્તૃત કરશે.

કેન્દ્રએ એવો પણ નિર્દેશ આપ્યો છે કે જે ખાણો પહેલેથી કાર્યરત છે, તે માટે સંબંધિત રાજ્ય સરકારોએ તમામ પર્યાવરણીય સુરક્ષાના ઉપાયોનું કડક પાલન અને સર્વોચ્ચ અદાલતના આદેશને અનુરૂપ હોવાનું સુનિશ્ચિત કરવાનું રહેશે. પર્યાવરણીય રક્ષણ અને ટકાઉ ખાણકામ પદ્ધતિઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે ચાલુ ખાણકામ પ્રવૃત્તિઓને વધારાના નિયંત્રણો સાથે કડક રીતે નિયંત્રિત કરવામાં આવશે.

ભારત સરકાર રણીકરણ (desertification) રોકવા, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા, જળ સ્તર (aquifers) રિચાર્જ કરવા અને પ્રદેશ માટે પર્યાવરણીય સેવાઓમાં અરવલ્લીની નિર્ણાયક ભૂમિકાને ઓળખીને, અરવલ્લી ઇકોસિસ્ટમના લાંબા ગાળાના રક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2208253) आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Odia , Telugu , Malayalam