પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી જોર્ડનના મહામહિમ રાજા અબ્દુલ્લા દ્વિતીયને મળ્યા

प्रविष्टि तिथि: 15 DEC 2025 10:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડનના મહામહિમ રાજા અબ્દુલ્લા દ્વિતીયને મળ્યા હતા. અલ હુસૈનિયા પેલેસ ખાતે તેમના આગમન પર મહામહિમ રાજા અબ્દુલ્લા દ્વિતીયએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ઔપચારિક સન્માન કર્યું હતું.

બંને નેતાઓ મર્યાદિત અને પ્રતિનિધિમંડળ સ્તરના ફોર્મેટમાં મળ્યા હતા. તેમણે તેમની અગાઉની બેઠકો અને વાતચીતોને ઉષ્માભર્યા રીતે યાદ કર્યા અને બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા અને ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું કે આ મુલાકાત, એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ ઉજવી રહ્યા છે, જે તેને ઐતિહાસિક બનાવે છે. પ્રધાનમંત્રીએ ભારત-જોર્ડન સંબંધોને મજબૂત બનાવવા માટે મહામહિમના પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. મહામહિમે આતંકવાદ સામે ભારતની લડાઈને મજબૂત સમર્થન વ્યક્ત કર્યું અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની નિંદા કરી. પ્રધાનમંત્રીએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા અને આ દુષ્ટતાઓ સામે વૈશ્વિક લડાઈમાં યોગદાન આપવા માટે મહામહિમના નેતૃત્વની પ્રશંસા કરી. બંને નેતાઓએ વેપાર અને રોકાણ; સંરક્ષણ અને સુરક્ષા; નવીનીકરણીય ઉર્જા; ખાતરો અને કૃષિ; નવીનીકરણ, આઇટી અને ડિજિટલ ટેકનોલોજી; મહત્વપૂર્ણ ખનિજો; માળખાગત સુવિધા; આરોગ્ય અને ફાર્મા; શિક્ષણ અને ક્ષમતા નિર્માણ; પ્રવાસન અને વારસો; અને સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે જોડાણને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી. ભારત જૉર્ડનનો ત્રીજો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર હોવાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ આગામી પાંચ વર્ષમાં બન્ને દેશો વચ્ચેના પરસ્પર વેપારને 5 અબજ અમેરિકી ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક રાખવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે જૉર્ડનના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) વચ્ચે સહકાર માટે પણ આહ્વાન કર્યું. જોર્ડન ભારતને ખાતરોનો એક મહત્વપૂર્ણ સપ્લાયર છે, અને બંને પક્ષોની કંપનીઓ ફોસ્ફેટિક ખાતરોની ભારતની વધતી માંગને પહોંચી વળવા માટે જોર્ડનમાં વધુ નોંધપાત્ર રોકાણોની ચર્ચા કરી રહી છે.

નેતાઓએ પ્રદેશમાં વિકાસ અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા. તેમણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ પ્રદેશમાં કાયમી શાંતિ પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

મુલાકાત પ્રસંગે બંને પક્ષોએ સંસ્કૃતિ, નવીનીકરણીય ઉર્જા, પાણી વ્યવસ્થાપન, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને પેટ્રા અને એલોરા વચ્ચે જોડિયા વ્યવસ્થાના ક્ષેત્રોમાં સમજૂતી કરારોને અંતિમ સ્વરૂપ આપ્યું. આ કરારો ભારત-જોર્ડન દ્વિપક્ષીય સંબંધો અને મિત્રતાને મોટો વેગ આપશે. વાટાઘાટો પછી, મહામહિમ રાજા અબ્દુલ્લા બીજાએ પ્રધાનમંત્રીના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહામહિમને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2204453) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam