લઘુમતિ બાબતોનું મંત્રાલય
સાઉદી અરેબિયામાં મદીના નજીક ગઈકાલે મોડી રાત્રે ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુ:ખદ બસ અકસ્માતને પગલે જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલમાં 24x7 કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે
કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે અમે દૂતાવાસના અધિકારીઓના સંપર્કમાં છીએ જેઓ વધુ માહિતી એકઠી કરી રહ્યા છે અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે
Posted On:
17 NOV 2025 12:30PM by PIB Ahmedabad
સાઉદી અરેબિયાના મદીના નજીક ગઈકાલે મોડી રાત્રે ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુ:ખદ બસ અકસ્માતને પગલે, જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે 24x7 કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આ મુશ્કેલ સમયમાં તેમને હિંમત મળે તે માટે પ્રાર્થના કરી છે.
હેલ્પલાઇનની સંપર્ક વિગતો નીચે મુજબ છે:
8002440003 (ટોલ ફ્રી),
00966122614093, 00966126614276
00966556122301 (વોટ્સએપ).
વધુમાં, કેન્દ્રીય મંત્રી શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે, "અમે અમારા દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ જેઓ વધુ માહિતી એકઠી કરી રહ્યા છે અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. રિયાધમાં દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ પણ સાઉદી હજ અને ઉમરાહ મંત્રાલય અને અન્ય સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. કોન્સ્યુલેટ સ્ટાફ અને ભારતીય સમુદાયના સ્વયંસેવકોની એક ટીમ વિવિધ હોસ્પિટલો અને અન્ય સ્થળોએ હાજર છે."
રિયાધમાં દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ-જનરલ તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. દૂતાવાસ અને કોન્સ્યુલેટના અધિકારીઓ પણ સંબંધિત તેલંગાણા રાજ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં છે જેથી તેઓ સંબંધિત પરિવારો સાથે સંકલન કરી શકે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2190770)
Visitor Counter : 14