પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેપાળમાં ભારે વરસાદને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
05 OCT 2025 4:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળમાં ભારે વરસાદને કારણે થયેલી જાનહાનિ અને વ્યાપક નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે આ મુશ્કેલ સમયમાં નેપાળના લોકો અને સરકારને ભારતના અડગ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. શ્રી મોદીએ તમામ જરૂરી સહાય પૂરી પાડવાની ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી, કટોકટીના સમયે મૈત્રીપૂર્ણ પાડોશી અને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે રાષ્ટ્રની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
"નેપાળમાં ભારે વરસાદને કારણે થયેલી જાનહાનિ અને નુકસાન દુઃખદ છે. અમે આ મુશ્કેલ સમયમાં નેપાળના લોકો અને સરકાર સાથે ઉભા છીએ. એક મૈત્રીપૂર્ણ પાડોશી અને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે, ભારત જરૂરી કોઈપણ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે."
SM/NP/GP/JD
(રીલીઝ આઈડી: 2175043)
મુલાકાતી સંખ્યા : 70
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam