રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 14થી 15 જુલાઈ સુધી ઓડિશાની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 13 JUL 2025 5:29PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 14થી 15 જુલાઈ, 2025 સુધી ઓડિશા (ભુવનેશ્વર અને કટક)ની મુલાકાત લેશે.

14 જુલાઈના રોજ, રાષ્ટ્રપતિ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ભુવનેશ્વરના પાંચમા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

15 જુલાઈના રોજ, રાષ્ટ્રપતિ રેવેનશો યુનિવર્સિટીના 13મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને કટક ખાતે રેવેનશો ગર્લ્સ હાઇ સ્કૂલની ત્રણ ઇમારતોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે. તેઓ આદિકબી સરલા દાસની જન્મજયંત ઉજવણીમાં પણ હાજરી આપશે અને કટક ખાતે કલિંગ રત્ન એવોર્ડ-2024 પ્રદાન કરશે.

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2144425) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Odia , Tamil , Malayalam