પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ PMRNF તરફથી સહાયની જાહેરાત કરી

Posted On: 19 JUN 2025 10:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

પીએમઓ ઇન્ડિયા હેન્ડલે X પર પોસ્ટ કર્યું:

"મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2137561)