પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાવીર જયંતી પર ભગવાન મહાવીરને વંદન કર્યાં
Posted On:
10 APR 2025 8:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાવીર જયંતી નિમિત્તે ભગવાન મહાવીરને વંદન કર્યાં. શ્રી મોદીએ કહ્યું કે ભગવાન મહાવીર હંમેશા અહિંસા, સત્ય અને કરુણા પર ભાર મૂકતા હતા અને તેમના આદર્શો વિશ્વભરના અસંખ્ય લોકોને શક્તિ આપે છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું કે ગયા વર્ષે સરકારે પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો, આ નિર્ણયની ઘણી પ્રશંસા થઈ હતી.
X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આપણે બધા ભગવાન મહાવીરને નમન કરીએ છીએ, જેમણે હંમેશા અહિંસા, સત્ય અને કરુણા પર ભાર મૂક્યો હતો. તેમના આદર્શો વિશ્વભરના અસંખ્ય લોકોને શક્તિ આપે છે. તેમના ઉપદેશોને જૈન સમુદાય દ્વારા સુંદર રીતે સંરક્ષિત અને લોકપ્રિય બનાવવામાં આવ્યા છે. ભગવાન મહાવીરથી પ્રેરિત થઈને, તેઓએ જીવનના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને સામાજિક સુખાકારીમાં યોગદાન આપ્યું છે.
અમારી સરકાર હંમેશા ભગવાન મહાવીરના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે કાર્ય કરશે. ગયા વર્ષે, અમે પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો, એક એવો નિર્ણય જેની ઘણી જ પ્રશંસા થઈ હતી.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2120658)
Visitor Counter : 48
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam