ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે

Posted On: 20 FEB 2025 11:03AM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ  આ દરમિયાનડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના 65મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

તેમની મુલાકાતના ભાગ રૂપે, શ્રી ધનખર એલોરાના ગૃષ્ણેશ્વર મંદિરમાં પૂજા અને આશીર્વાદ પણ લેશે અને એલોરાની ગુફાઓ (કૈલાશ ગુફા) ની મુલાકાત લેશે.

AP/JY/GP

 


(Release ID: 2104880) Visitor Counter : 46