રાષ્ટ્રપતિ સચિવાલય
ગુરુ રવિદાસજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
પોસ્ટેડ ઓન:
11 FEB 2025 7:06PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુરુ રવિદાસજીની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિએ એક સંદેશમાં કહ્યું છે કે, “ગુરુ રવિદાસજીની જન્મજયંતીના શુભ પ્રસંગે, હું તમામ ભારતીયોને મારી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
ગુરુ રવિદાસજી એક મહાન ભારતીય સંત હતા જેમણે પોતાની રચનાઓ દ્વારા બધાને એકતા અને ભાઈચારોનો સંદેશ આપ્યો. તેમની ભાવનાત્મક કવિતા જાતિ અને ધર્મના અવરોધોને પાર કરે છે અને સમગ્ર માનવતાને પ્રેરણા આપે છે. સંત રવિદાસજીનું જીવન સમાજના તમામ વર્ગો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
આ પ્રસંગે, ચાલો આપણે ભક્તિ, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના તેમના સંદેશને આત્મસાત કરીએ. તેને આપણા જીવનનો ભાગ બનાવીએ અને એક સમાવિષ્ટ સમાજ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપીએ”.
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2102135)
મુલાકાતી સંખ્યા : 89