પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો.
પોસ્ટેડ ઓન:
11 DEC 2024 9:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ૐ શાંતિ 🙏”
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2083528)
મુલાકાતી સંખ્યા : 164
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam