પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
Posted On:
29 OCT 2024 8:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે સંકળાયેલો છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આયુર્વેદ - એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગી બની રહેશે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
"આયુર્વેદ દિવસ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો આ શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે જોડાયેલો છે, જેનું મહત્વ આજે આખું વિશ્વ માની રહી છે. મને વિશ્વાસ છે કે ચિકિત્સાની આ પ્રાચીન પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે નિરંતર ઉપયોગી બની રહેશે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2069080)
Visitor Counter : 111
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam