પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
Posted On:
22 SEP 2024 11:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રની સાથે સાથે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કે પી શર્મા ઓલી સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ ભારત અને નેપાળ વચ્ચે વિશિષ્ટ અને ગાઢ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી તથા વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં વિકાસલક્ષી ભાગીદારી, જળવિદ્યુત સહકાર, લોકો વચ્ચેનાં સંબંધો અને કનેક્ટિવિટી વધારવા – ભૌતિક, ડિજિટલ અને ઊર્જાનાં ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ નેપાળને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)માં સંપૂર્ણ સભ્ય તરીકે જોડાનાર 101મો દેશ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આબોહવામાં ફેરફારના પડકાર સામે પ્રાદેશિક પ્રતિભાવ આપવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
નેપાળ તેની પડોશી પ્રથમ નીતિ હેઠળ ભારતનું પ્રાથમિકતાનું ભાગીદાર છે. આ બેઠક આપણી પડોશી પ્રથમ નીતિને આગળ વધારવા માટે ભારત અને નેપાળ વચ્ચે નિયમિતપણે ઉચ્ચ-સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને જાળવી રાખે છે.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2057812)
Visitor Counter : 100
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam