શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારત સરકારે પ્લેટફોર્મ એગ્રીગેટર્સને ઈ-શ્રમ પોર્ટલ પર પોતાને અને તેમના પ્લેટફોર્મ વર્કર્સને રજીસ્ટર કરવા આમંત્રણ આપ્યું


માહિતી અને માર્ગદર્શિકા નોંધણી પ્રદાન કરવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન (14434)ની સ્થાપના કરવામાં આવી છે

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા 18.09.2024ના રોજ એગ્રીગેટર્સને મળશે

Posted On: 17 SEP 2024 10:32AM by PIB Ahmedabad

શ્રમ અને રોજગાર મંત્રાલયે ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા લાભો આપવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. જે માટે પ્લેટફોર્મ એગ્રીગેટર્સને ઈ-શ્રમ પોર્ટલ પર પોતાના કામદારોની નોંધણી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ રજસ્ટ્રેશન સામાજિક કલ્યાણ યોજનાઓ સુધી કામદારોની પહોંચ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે, જ્યારે એગ્રીગેટર્સ લાભાર્થીઓની ચોક્કસ નોંધણી વિકસાવવામાં મદદ કરશે.

પ્રક્રિયાને માર્ગદર્શન આપવા માટે, મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) સાથે એક એડવાઈઝરી જારી કરી છે જેમાં એગ્રીગેટર જવાબદારીઓની રૂપરેખા આપવામાં આવી છે, જેમાં કામદારોની નોંધણી અને તેમના ડેટાને અપડેટ કરવા સહિતનું સામેલ છે. નોંધણી બાદ, પ્લેટફોર્મ કામદારોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) પ્રાપ્ત થશે, જે તેમને મુખ્ય સામાજિક સુરક્ષા લાભો મેળવવાની મંજૂરી આપશે.

કેન્દ્ર સરકારે થોડા એગ્રીગેટર્સ સાથે મળીને API એકીકરણ માટે સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કર્યું છે અને નોંધણી પ્રક્રિયાને આગળ વધારી રહી છે. આ સંયુક્ત પ્રયાસનો હેતુ મંત્રાલય અને પ્લેટફોર્મ એગ્રીગેટર્સ વચ્ચે ચાલુ સહયોગ સાથે ગિગ કામદારોના સંપૂર્ણ કવરેજને સુનિશ્ચિત કરવાનો છે.

માર્ગદર્શિકા દ્વારા, એગ્રીગેટર્સને તે પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે કામદારોની વિગતો અપડેટ કરે, જેમાં કામ પર રાખવામાં આવેલા લોકો અને ચૂકવણી સામેલ છે. સચોટ રેકોર્ડ જાળવવા માટે કોઈપણ કામદારો બહાર નીકળે તેની તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે.

કામદારો અને એગ્રીગેટર્સના ઓનબોર્ડિંગમાં મદદ કરવા માટે, માહિતી પ્રદાન કરવા, નોંધણીનું માર્ગદર્શન આપવા અને પ્રક્રિયા દરમિયાન આવતી કોઈપણ તકનીકી સમસ્યાઓના નિરાકરણ માટે એક ટોલ-ફ્રી હેલ્પલાઈન (14434)ની સ્થાપના કરવામાં આવી છે.

મંત્રાલયે 18.09.2024ના રોજ એગ્રીગેટર્સ સાથે એક બેઠક પણ સુનિશ્ચિત કરી છે જેની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા કરશે, કે જેથી તેમને આ મહત્વપૂર્ણ પહેલ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય અને પ્રોત્સાહિત કરી શકાય.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2055544) Visitor Counter : 40