ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ માટે ઈ-સાક્ષ્ય, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ-સમન એપ લોન્ચ કરી


નવા કાયદા અને તેના પર આધારિત ફોજદારી ન્યાય પ્રણાલી 21મી સદીનો સૌથી મોટો સુધારો સાબિત થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદા-BNS, BNSS અને BSAમાં ભારતીયતા અને ન્યાયની આપણી નીતિની સુગંધ છે

ઈ-સાક્ષ્ય, ઈ-સમન, ન્યાય સેતુ અને ન્યાય શ્રુતિ એપ્સ સમગ્ર સિસ્ટમની ટેકનિકલ ક્ષમતાને મજબૂત બનાવશે

નવા કાયદાનો હેતુ લોકોને સજા નહીં પણ ન્યાય આપવાનો છે, તેથી જ તે દંડ સંહિતા નથી પણ ‘ન્યાય સંહિતા’ છે

સંપૂર્ણ અમલીકરણ પછી, ભારતમાં સમગ્ર વિશ્વમાં સૌથી આધુનિક ટેકનોલોજી આધારિત ફોજદારી ન્યાય વ્યવસ્થા હશે

નવા કાયદાઓના સરળ અમલીકરણ માટે, મોદી સરકાર સીસીટીએનએસથી લઈને એસએચઓની તાલીમ અને એફએસએલના એકીકરણ જેવા ઘણાં કામ કર્યા

બીજા બે મહિનામાં, ચંદીગઢ દેશનું પ્રથમ વહીવટી એકમ બનશે જે ત્રણ કાયદાઓનો 100% અમલ કરશે

નવા કાયદાઓમાં એવી સમયબદ્ધ પ્રક્રિયા છે કે કોઈ પણ સંજોગોમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો 3 વર્ષમાં આવશે

સાચા જ્ઞાની તે છે જેઓ સ્વામી વિવેકાનંદના ઉપદેશોને અનુસરે છે, સ્વથી નિઃસ્વાર્થ સુધી, અને આપણા સાયબર-સૈનિકોએ તેને સાકાર કરવા માટે કામ કર્યું છે

ગૃહમંત્રી

Posted On: 04 AUG 2024 8:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ માટે ઇ-સાક્ષ્ય, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઇ-સમન એપ્સ લોંચ કરી હતી. આ પ્રસંગે પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારિયા અને કેન્દ્રીય ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018JK8.jpg

શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, આજે અહિં ઉપસ્થિત દરેક વ્યક્તિએ 21મી સદીનાં સૌથી મોટા સુધારાનાં અમલીકરણનાં સાક્ષી બન્યાં છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ) – દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓમાં ભારતીયતાની સુગંધ અને ન્યાયની આપણી નૈતિકતા છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને ન્યાય આપવાની જવાબદારી બંધારણની છે અને બંધારણની આ ભાવનાને સાકાર કરવા માટે આપણી અપરાધિક ન્યાય વ્યવસ્થા જ માધ્યમ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 150 વર્ષ પહેલા બનેલા કાયદા આજે પ્રાસંગિક ન રહી શકે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 1860 અને આજનાં ભારતનાં ઉદ્દેશ અને એ સમયનાં શાસકોનાં હિતો અને એ સમયનાં આપણાં બંધારણનાં ઉદ્દેશો વચ્ચે મોટો તફાવત છે, પણ અમલીકરણની વ્યવસ્થા યથાવત્ છે. તેમણે કહ્યું કે વર્ષો સુધી લોકોને ન્યાય મળતો નથી, તેના બદલે ન્યાય પ્રણાલીને માત્ર સુનાવણીની નવી તારીખો આપવા માટે દોષી ઠેરવવામાં આવે છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, ધીમે ધીમે આપણી વ્યવસ્થાઓ પર લોકોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. આથી જ મોદી સરકારે આઈપીસીને બદલે બીએનએસ, સીઆરપીસીને બદલે બીએનએસએસ અને એવિડન્સ એક્ટને બદલે બીએસએ લાગુ કરવાનું કામ કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020P2U.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી 'પંચ પ્રણ' વિશે વાત કરી હતી, જેમાંથી એક શબ્દ ગુલામીની તમામ નિશાનીઓને નાબૂદ કરવાનો હતો. તેમણે કહ્યું કે બીએનએસ, બીએનએસએસ અને બીએસએ ભારતીય સંસદમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અને ભારતના લોકો માટે બનાવવામાં આવેલા કાયદા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નવા કાયદાઓમાં સજા કરતાં ન્યાયને અગ્રતા આપવામાં આવી છે અને તેનો ઉદ્દેશ લોકોને ન્યાય આપવાનો છે, એટલે જ તે દંડ સંહિતા નથી, પણ 'ન્યાય સંહિતા' છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદાઓના સંપૂર્ણ અમલ બાદ ભારત પાસે સમગ્ર વિશ્વમાં સૌથી આધુનિક અને ટેકનોલોજી આધારિત અપરાધિક ન્યાય પ્રણાલી હશે. તેમણે કહ્યું કે, આ માટે ગૃહ મંત્રાલયે વિવિધ સ્તરે તાલીમ અને કૌશલ્ય વિકાસ માટેની વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે, આ કાયદા બન્યા પહેલા જ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજે દેશના આઠ રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઓ કાર્યરત છે અને ફોરેન્સિક નિષ્ણાતો ઉપલબ્ધ કરાવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઓ વધુ આઠ રાજ્યોમાં ખોલવામાં આવશે, જે વાર્ષિક 36 હજાર ફોરેન્સિક નિષ્ણાતો પ્રદાન કરશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ કાયદાઓમાં સાત વર્ષ કે તેથી વધારે સજા ધરાવતાં ગુનાઓમાં ફોરેન્સિક ટીમ દ્વારા ફરજિયાત મુલાકાત લેવાની જોગવાઈ છે તથા ટેકનિકલ પુરાવાથી દોષિત ઠરવાનાં પુરાવામાં વધારો કરવામાં પણ મદદ મળશે. તેમણે કહ્યું કે આ કેસોમાં કાર્યવાહી નિયામકની વ્યવસ્થા કરવામાં આવી છે જે કાર્યવાહીની આખી પ્રક્રિયા પર સતત નજર રાખશે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષા સુધીના ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની સમગ્ર શ્રૃંખલા તૈયાર કરવામાં આવી છે અને તેમની સત્તા પણ નક્કી કરવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034TI4.jpg

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, તેના સંપૂર્ણ અમલીકરણ માટે આપણી સમગ્ર સિસ્ટમની ટેકનિકલ ક્ષમતા વધારવી પડશે. તેમણે કહ્યું કે આજે ઈ-શક્તિ, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ-સમન એપ્સ લોન્ચ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઇ-સાક્ષ્ય હેઠળ તમામ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને જુબાનીઓ ઇ-એવિડન્સ સર્વર પર સેવ કરવામાં આવશે, જે તરત જ કોર્ટમાં પણ ઉપલબ્ધ થશે. -સમન્સ હેઠળ તેને કોર્ટમાંથી પોલીસ સ્ટેશન અને જે વ્યક્તિને સમન્સ મોકલવાનું છે તેને પણ ઇલેક્ટ્રોનિકલી મોકલવામાં આવશે.ન્યાય સેતુ ડેશબોર્ડ પર પોલીસ, મેડિકલ, ફોરેન્સિક, પ્રોસિક્યુશન અને જેલને એક સાથે જોડવામાં આવી છે, જે પોલીસને તપાસ સાથે સંબંધિત તમામ માહિતી માત્ર એક ક્લિકમાં પૂરી પાડશે. ન્યાય શ્રુતિના માધ્યમથી કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાક્ષીઓને સાંભળી શકશે. આનાથી સમય અને પૈસાની બચત થશે અને કેસોનું ઝડપથી સમાધાન પણ થશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે આ ત્રણ નવા કાયદાનાં સરળ અમલીકરણ માટે ઘણી પહેલો હાથ ધરી છે. તેમણે કહ્યું કે સીસીટીએનએસથી લઈને એસ.એચ..ની તાલીમ અને એફએસએલના એકીકરણ સુધી ઘણું કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજીને આ સંપૂર્ણ સિસ્ટમનો મુખ્ય આધારસ્તંભ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, માત્ર ચંદીગઢમાં જ 22 આઈટી સ્પેશિયાલિસ્ટ અને 125 ડેટા એનાલિસ્ટ્સને સ્થાન આપવામાં આવ્યું છે. તમામ પોલીસ સ્ટેશનમાં 107 નવા કોમ્પ્યુટર, સ્પીકર અને બે વેબ કેમેરા લગાવવામાં આવ્યા છે, 170 ટેબલેટ, 25 મોબાઇલ ફોન અને 144 નવા આઇટી કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ વહીવટી એકમ ચંદીગઢ હશે, જે નવા ફોજદારી કાયદાનો 100 ટકા અમલ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જે લોકો સ્વામી વિવેકાનંદનાં 'સ્વ'થી 'નિઃસ્વાર્થ' સુધીનાં બોધને આત્મસાત કરે છે, તેઓ જ ખરા અર્થમાં ડાહ્યા છે અને આપણા સાયબર-સૈનિકોએ તેને સાકાર કરવાનું કામ કર્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IJ5T.jpg

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, નશાની લત વિરુદ્ધ અમારું અભિયાન માત્ર સરકારી અભિયાન નથી પરંતુ આ આપણી નવી પેઢીને નશાની લતમાંથી બહાર કાઢવાનું અભિયાન છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો ડ્રગ્સ અને તેમના પરિવારની પકડમાં છે તેમનું કલંક દૂર કરીને આપણે આ રોગની સારવાર કરવી જોઈએ અને તેના વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ત્રણ નવા કાયદા મારફતે ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં 21મી સદીનો સૌથી મોટો સુધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ કાયદાઓમાં ટેકનોલોજીનો એવી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે કે, તે આગામી 50 વર્ષની જરૂરિયાતો પૂર્ણ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નાગરિક-કેન્દ્રિત કાયદાઓ આપણા બંધારણની ભાવના અનુસાર બનાવવામાં આવ્યા છે અને તેનો સંપૂર્ણ અમલ થયા પછી ત્રણ વર્ષની અંદર સર્વોચ્ચ અદાલત સુધી ચુકાદો મેળવવાનું શક્ય બનશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આ કાયદાઓ અંગે જાગૃતિ લાવવાની જેટલી જવાબદારી નાગરિકોની છે તેટલી જ જવાબદારી ગૃહ મંત્રાલય, રાજ્ય સરકારો કે ન્યાયાધીશોની પણ છે. ગૃહમંત્રીએ ચંદીગઢના લોકોને વિનંતી કરી હતી કે તેઓ આ કાયદાઓ અંગે ફેલાવવામાં આવી રહેલી ગેરસમજો અંગે ભારત સરકારના ગૃહ મંત્રાલય અથવા ચંદીગઢ પ્રશાસન પાસેથી સત્તાવાર સ્પષ્ટતા માંગે. તેમણે દરેકને અફવાઓથી દૂર રહેવા અને આ કાયદાઓના અમલીકરણમાં સક્રિય અને રચનાત્મક યોગદાન આપવા અપીલ કરી હતી.



(Release ID: 2041342) Visitor Counter : 59