ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9 થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી


પોતાના ઘરોમાં આપણું ગૌરવ, આપણો તિરંગા ફરકાવો, તિરંગા સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ https://harghartiranga.com પર અપલોડ કરો: શ્રી અમિત શાહ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું #હરઘરતિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે

#હરઘરતિરંગા અભિયાને સમગ્ર રાષ્ટ્રમાં દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે

હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ ચળવળને વધુ વેગ આપે અને ફરીથી એ જ ઉત્સાહ સાથે તેમાં ભાગ લે: કેન્દ્રીય ગૃહ મંત્રી

Posted On: 03 AUG 2024 1:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો ફરકાવવા અને પોતાની સેલ્ફી https://harghartiranga.com વેબસાઇટ પર અપલોડ કરો.

આજે X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીનું #હરઘરતિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં એક રાષ્ટ્રીય ચળવળમાં વિકસ્યું છે, જેણે આખા દેશમાં દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે. હું તમામ નાગરિકોને આ આંદોલનને વધુ મજબૂત કરવા અને તેમાં ફરી તે જ ઉત્સાહની સાથે તેમાં ભાગ લેવાની અપીલ કરું છું. પોતાના ઘરોમાં આપણું ગૌરવ, આપણો તિરંગો ફરકાવો, તિરંગાની સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટઃ https://harghartiranga.com/ પર અપલોડ કરો.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2041113) Visitor Counter : 64