શ્રમ અને રોજગાર મંત્રાલય

ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં રોજગાર, કૌશલ્ય, એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર વિશેષ ભાર મૂકવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો


કેન્દ્રીય બજેટ 2024-25માં ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓનાં કલ્યાણ માટે નવા માર્ગો ખુલ્યા

Posted On: 23 JUL 2024 7:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ 2024-25ના સ્વપ્નદ્રષ્ટા કેન્દ્રીય બજેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો, જે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓના કલ્યાણ માટે નવા માર્ગો ખોલશે.

તેમણે ઉમેર્યું હતું કે, રોજગારી, કૌશલ્ય, એમએસએમઇ અને મધ્યમ વર્ગ પર વિષયગત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અંદાજપત્રમાં મહત્ત્વાકાંક્ષી પહેલો અને પ્રોત્સાહનો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે, જેનો ઉદ્દેશ ભારતની સામાજિક-આર્થિક પરિદ્રશ્યમાં પરિવર્તન લાવવાનો છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનું પાંચ યોજનાઓ અને પહેલોનું પેકેજ આગામી પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડનાં કેન્દ્રીય ખર્ચ સાથે 4.1 કરોડ યુવાનો માટે તકોનું સર્જન કરવાની સરકારની કટિબદ્ધતાનો પુરાવો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ નોંધપાત્ર રોકાણ શિક્ષણ, રોજગારી અને કૌશલ્ય સંવર્ધનમાં વધારો કરવા માટે સરકારનાં સમર્પણને રેખાંકિત કરે છે, જેમાં આ ઉદ્દેશો માટે ખાસ કરીને રૂ. 1.48 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2024-25માં કરવામાં આવેલી જાહેરાતો યુવાનો માટે રોજગારીની વધુ તકો ઊભી કરવામાં, શ્રમબળને કૌશલ્ય પ્રદાન કરવામાં અને વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા ઊભી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમણે જણાવ્યું હતું કે, રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાઓ અને શિક્ષણ અને કૌશલ્યમાં નોંધપાત્ર રોકાણ જેવી વિસ્તૃત પહેલો વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની અસંખ્ય તકોનું સર્જન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અને કર્મચારીઓ તથા નોકરીદાતાઓ બંનેને ટેકો આપીને સરકારનું લક્ષ્ય ઔપચારિક કાર્યબળમાં વધારે વ્યક્તિઓને સંકલિત કરવાનું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત ઇ-શ્રમ પોર્ટલને અન્ય કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાથી અને શ્રમ સુવિધા અને સમાધાન પોર્ટલમાં સુધારાથી અનુપાલન પ્રક્રિયાઓ સરળ બનશે, જેથી ઉદ્યોગ અને વેપાર માટે વેપાર-વાણિજ્યમાં સરળતા વધશે.

ડો. માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના કેન્દ્રિત પ્રયાસો અને એમએસએમઇને ટેકો આપવા માટેના આ પગલાંથી વધુ ગતિશીલ અને કુશળ શ્રમબળનું સર્જન થવાની અપેક્ષા છે, જે આખરે આર્થિક વૃદ્ધિ અને વિકાસને વેગ આપશે.

CB/GP/JD



(Release ID: 2036074) Visitor Counter : 13