પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉન્નાવ રોડ અકસ્માત પર ગહન શોક વ્યક્ત કર્યો, આર્થિક સહાયની જાહેરાત કરી
Posted On:
10 JUL 2024 10:45AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉન્નાવ માર્ગ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:
"ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં થયેલા માર્ગ અકસ્માત અત્યંત દુઃખદાયક છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ આપે. આ સાથે હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે: PM @narendramodi."
શ્રી મોદીએ ઉન્નાવની દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને PMNRFમાંથી 2 લાખ રુપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી, જ્યારે ઘાયલોને 50,000 રુપિયા આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યું:
“પ્રધાનમંત્રીએ ઉન્નાવની દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રુપિયાની અનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રુપિયા આપવામાં આવશે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2031976)
Visitor Counter : 106
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam