પ્રધાનમંત્રીનું કાર્યાલય

PMએ ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો, પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 15 JUN 2024 7:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બસ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

PMO X પોસ્ટમાં જણાવ્યું હતું કે:

"उत्तराखंड के रुद्रप्रयाग में हुआ सड़क हादसा हृदयविदारक है। इसमें अपने प्रियजनों को खोने वाले शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है: PM "

પ્રધાનમંત્રીએ બસ અકસ્માતમાં અસરગ્રસ્તો માટે એક્સ-ગ્રેશિયા સહાયની પણ જાહેરાત કરી હતી.

પોસ્ટ અનુસાર, દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) X પર પોસ્ટ કર્યું:

"દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM"

AP/GP/JD



(Release ID: 2025620) Visitor Counter : 47