પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 12 JUN 2024 7:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને મદદ કરવા અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.

કુવૈતમાં ભારતીય દૂતાવાસ દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું;

"કુવૈત શહેરમાં આગની દુર્ઘટના દુઃખદ છે. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને મદદ કરવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.”

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2024824) Visitor Counter : 53