કૃષિ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે સત્તાવાર રીતે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો


રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુર અને શ્રી ભગીરથ ચૌધરીએ પણ કાર્યભાર સંભાળ્યો

Posted On: 11 JUN 2024 3:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, ગઈકાલે પ્રધાનમંત્રીએ પહેલો નિર્ણય ખેડૂતોનાં હિતમાં લીધો હતો, એ જણાવતા આનંદ થાય છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે અને સરકાર ખેડૂતોના કલ્યાણ માટે દરેક સંભવ પગલા ઉઠાવશે. મંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, એનડીએ સરકાર છેલ્લાં 10 વર્ષથી ખેડૂતોનાં કલ્યાણ માટે કટિબદ્ધ છે અને તેમનું મંત્રાલય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સતત કામ કરતું રહેશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00150FP.jpg

મંત્રીશ્રીએ કાર્યભાર સંભાળ્યા બાદ મંત્રાલયની વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી અને સ્વચ્છતા કાર્યકરો સહિત વિવિધ સ્તરે કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ખેડૂતોનાં કલ્યાણ માટે સરકારનું વિઝન સાકાર કરવા ટીમ તરીકે કામ કરવા અને એકબીજાનાં સહકારમાં કામ કરવા અપીલ કરી હતી. તેમણે મંત્રાલયમાં કૃષિ સંકલિત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને પાક ઉત્પાદન અને દુષ્કાળની તૈયારી સહિત દેશમાં કૃષિ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટેની સુવિધાઓ જોઈ હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GDWO.jpg

ત્યારબાદ તેમણે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજી હતી અને મંત્રાલયની કામગીરીમાં પારદર્શકતા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ખેડૂતોના કલ્યાણ અને ગ્રામીણ વિકાસ માટે સરકારી ઢંઢેરો પણ સોંપ્યો અને દરેકને તેની પરિપૂર્ણતા તરફ કામ કરવા હાકલ કરી. શ્રી ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એક દૂરંદેશી નેતા છે અને તેમણે અધિકારીઓને મેનિફેસ્ટોમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટેની રૂપરેખા તૈયાર કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અન્નદાતાનાં જીવનમાં સુધારો કરવો એ મંત્રાલયનું મિશન હોવું જોઈએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0038BI7.jpg

શ્રી રામનાથ ઠાકુર અને શ્રી ભગીરથ ચૌધરીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. માનનીય મંત્રીઓનું સ્વાગત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ શ્રી મનોજ આહુજા, સચિવ, ડીએઆરઈ શ્રી હિમાંશુ પાઠક અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0047ZLH.jpg

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2024106) Visitor Counter : 69