પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
નેતાઓએ સતત ગાઢ સંપર્કની જરૂરિયાત પર ભાર મૂક્યો
યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર પ્રધાનમંત્રીએ ભારતના જન કેન્દ્રિત અભિગમને પ્રકાશિત કર્યો અને સંવાદ અને મુત્સદ્દીગીરી માટે ભારતના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો
प्रविष्टि तिथि:
06 JUN 2024 8:56PM by PIB Ahmedabad
યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સ્કીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ તેમનો આભાર માનતા યુક્રેન સાથેની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
બંને નેતાઓએ સતત ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને બંને દેશોના લોકોના લાભ માટે નવા ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી સહયોગને નવા ક્ષેત્રોમાં વિસ્તારવાની વાત પર મહત્વ આપ્યું.
યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર પ્રધાનમંત્રીએ ભારતના જન કેન્દ્રિત અભિગમને પ્રકાશિત કર્યો અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના વહેલા, શાંતિપૂર્ણ અને સ્થાયી નિરાકરણ માટેના તમામ પ્રયાસો માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2023359)
आगंतुक पटल : 132
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam