ગૃહ મંત્રાલય

રાષ્ટ્રપતિએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહ-2માં પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા

Posted On: 09 MAY 2024 8:55PM by PIB Ahmedabad

ઇન્વેસ્ટિચર સેરેમની-II માં 2 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, ભારત સરકારના ઘણા મંત્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પદગ્રહણ સમારોહ પછી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ તેમના નિવાસસ્થાને ગૃહ મંત્રી દ્વારા આયોજિત રાત્રિભોજન દરમિયાન પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો.

પદ્મ પુરસ્કાર વિજેતાઓ આવતીકાલે સવારે (10 મે, 2024) રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપશે. તેઓ રાષ્ટ્રપતિ ભવન અને પ્રધાનમંત્રી મ્યુઝિયમની પણ મુલાકાત લેશે.

AP/GP/JD



(Release ID: 2020308) Visitor Counter : 60