પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
09 JAN 2024 10:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાના સુપ્રસિદ્ધ કલાકાર ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:
"ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાના સુપ્રસિદ્ધ કલાકાર, ઉસ્તાદ રશીદ ખાનજીના નિધનથી દુઃખ થયું. તેમની અપ્રતિમ પ્રતિભા અને સંગીત પ્રત્યેના સમર્પણથી આપણા સાંસ્કૃતિક જગત અને પેઢીઓને પ્રેરણા મળી. તેમના નિધનથી એક ખાલીપો પડી ગયો છે જેને ભરવો મુશ્કેલ છે. મારી તેમના પરિવાર, શિષ્યો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1994726)
Visitor Counter : 64
Read this release in:
Punjabi
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam