પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયા રાજે સિંધિયાજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 12 OCT 2023 9:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયા રાજે સિંધિયાજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે રાજમાતા વિજયા રાજે સિંધિયાએ પોતાનું સમગ્ર જીવન જન કલ્યાણ અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ગરીબો અને વંચિતો માટેના તેમના પ્રયાસો દરેકને મજબૂત ભારત બનાવવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“રાજમાતા વિજયારાજે સિંધિયાજીને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું. ગરીબો અને વંચિતો માટેના તેમના પ્રયાસો દરેકને મજબૂત ભારતના નિર્માણમાં પ્રેરણા આપશે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1966891) Visitor Counter : 130