પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમિલનાડુ બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
01 OCT 2023 11:29AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નીલગ્રીસ જિલ્લામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમના વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"તમિલનાડુના નીલગિરિસ જિલ્લામાં કુન્નુર પાસે બસ અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1962605)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam