રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી લોકો માટે ખુલશે

5 સપ્ટેમ્બરે માત્ર શિક્ષકો માટે જ અનામત રહેશે

મુલાકાતીઓ ઓનલાઇન બુકિંગ અથવા સેલ્ફ સર્વિસ કિઓસ્ક દ્વારા પ્રવેશ પાસ મેળવી શકાશે

प्रविष्टि तिथि: 03 AUG 2023 3:17PM by PIB Ahmedabad

અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટ, 2023થી ઉદ્યાન ઉત્સવ-2 હેઠળ એક મહિના માટે (સોમવાર સિવાય) જાહેર જનતા માટે ખુલશે. 5 સપ્ટેમ્બરના રોજ, શિક્ષક દિવસ નિમિત્તે માત્ર શિક્ષકો માટે તે સંપૂર્ણપણે ખુલ્લું મૂકવામાં આવશે.

ઉદ્યાન ઉત્સવ- મુલાકાતીઓને ઉનાળાના વાર્ષિક ફૂલો પ્રદર્શિત કરવાનો હેતુ છે.

મુલાકાતીઓ 10.00 કલાકથી 17.00 કલાક (છેલ્લી એન્ટ્રી 1600 કલાક) સુધી બગીચાઓની મુલાકાત લઈ શકે છે. એન્ટ્રી રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35થી નોર્થ એવન્યુ પાસે હશે.

રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ https://visit.rashtrapatibhavan.gov.in/ પર 7 ઓગસ્ટ, 2023થી બુકિંગ ઓનલાઇન કરી શકાશે. વોક-ઇન મુલાકાતીઓ ગેટ નંબર 35 નજીક મૂકવામાં આવેલા સેલ્ફ સર્વિસ કિઓસ્કમાંથી પાસ મેળવી શકે છે. અમૃત ઉદ્યાનમાં પ્રવેશ નિ:શુલ્ક છે.

અમૃત ઉદ્યાનને આ વર્ષે 29 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી ઉદ્યાન ઉત્સવ-1 હેઠળ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેની મુલાકાત 10 લાખથી વધુ લોકોએ લીધી હતી.

અમૃત ઉદ્યાનની સાથે, મુલાકાતીઓ તેમના સ્લોટ્સ ઓનલાઇન (https://visit.rashtrapatibhavan.gov.in/) બુક કરીને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે ઉદ્યાન ઉત્સવ-૨ દરમિયાન સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ વિના મૂલ્યે મ્યુઝિયમની મુલાકાત લઈ શકશે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1945413) आगंतुक पटल : 257
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Kannada , Malayalam