પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની પેરિસમાં ભારતીય સમુદાય સાથે વાતચીત

Posted On: 13 JUL 2023 11:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં લા સીન મ્યુઝિકેલ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું.

તેમના સંબોધન દરમિયાન, પ્રધાનમંત્રીએ બહુપક્ષીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રકાશિત કરી, જે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ફ્રાન્સના માર્સેલીમાં નવું વાણિજ્ય દૂતાવાસ ખોલવાની પણ જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં ભારતીય સમુદાયના યોગદાનને પ્રકાશિત કર્યું, જેઓ ભારત-ફ્રાન્સ ભાગીદારીનો મજબૂત પાયો બનાવે છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1939368) Visitor Counter : 129